ઇરાકમાં અપહરણ ભારતીયો પર સુષમાએ પોતાની ચુપ્પી તોડી
નવી દિલ્હી, 28 નવેમ્બર: ઇરાકમાં બંધક ભારતીયો પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે રાજ્યસબામાં જણાવ્યું કે બંધક ભારતીયોની તલાશ જારી છે. તેમણે જણાવ્યું કે એવું ના કહેવું કે બંધક લોકોને મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યા છે, પરંતુ એવું કહો કે તેમના મરવાના સમાચાર છે. તેમણે જણાવ્યું કે બંધક માર્યા નથી ગયા પરંતુ તેમના જીવતા હોવા કે મરવાના કોઇ પુરાવા અમારી પાસે નથી. પરંતુ સરકાર તેમની તપાસ કરી રહી છે.
સુષમા સ્વરાજે જણાવ્યું, 'અમે તમામ દેશોના સંપર્કમાં છીએ. અમે દરેક તે શખ્શનો સંપર્ક કર્યો, જે અમને અપહરણ કરાયેલા લોકોની જાણકારી આપી શકે. આનાથી અમને 6 એવા સૂત્ર મળ્યા, જેમણે દાવો કર્યો કે ભારતીય નાગરિકો જીવતા છે. વિદેશ મંત્રી તરીકે આ મારી જવાબદારી છે કે અમે તે 6 સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર પર અપહરણ લોકોની તપાસ ચાલુ રાખીએ.'

સુષમાએ આ નિવેદન એ સંદર્ભમાં આપ્યું જ્યારે એક ન્યૂઝ ચેનલે એક શખ્શ હરજીત ભસીનના હવાલાથી એ જાણકારી આપી છે કે ઇરાકમાં આઇએસઆઇએસે પાંચ મહીના પહેલા અપહરણ કરેલા 40 ભારતીય મજદૂરોમાંથી 39ની હત્યા કરી દીધી છે. આદાવો એ મજદૂરોના એક બાંગ્લાદેશી સાથી હરજી ભસીને કરી છે.
તેણે ન્યૂઝ ચેનલને જણાવ્યું કે આઇએસઆઇએસે તેને અને એક અન્ય 50 બાંગ્લાદેશીઓનું પણ અપહરણ કર્યું હતું. પરંતુ બાંગ્લાદેશી હોવાના કારણે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે ચેનલની આ રિપોર્ટને રદ કર્યો છે અને જણાવ્યું કે તમામ ભારતીયો જીવતા છે અને તેમને સકુશળ મુક્ત કરાવવાના પ્રયત્નો ચાલુ છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
