સૈન્ય ખરીદીમાં ચોંકાવનારો ખુલાસો, 1 અરબનો ગોટાળો

અહેવાલમા આ વાત સામે આવ્યા બાદ રક્ષામંત્રી એકે એન્ટોનીએ ખર્ચાઓ પર કડક નિયંત્રણ અને સંતુલનના આદેશ આપ્યા છે. જો કે, થલસેનાએ ખરીદીમાં થયેલા 100 કરોડના નુક્સાનની વાતથી ઇન્કાર કરીને આ વાત પર વજન આપ્યું છે કે કોઇપણ પ્રકારના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. ઓડિટ અહેવાલે 2009થી 2011 વચ્ચે અંદાજે 55 નિર્ણયોને ચકાસ્યા. જે દરમિયાન બજાર કિંમત કરતા વધું ભાવમાં દૂરબીનોની વિદેશમાંથી ખરીદી, ચીની બનાવટના સંચાર ઉપકરણોની ખરીદીથી લઇને દૂધની ખરીદી સહિતના ઘણા નિર્ણયોએ પ્રશ્નો ઉભા કર્યા છે. તત્કાલ જરૂરિયાતો હેઠળ કમાન પ્રમુખોને વિશેષ નાણા અધિકારો હેઠળ 125 કરોડ રૂપિયા સુધીની ખરીદીના અધિકાર છે. મહત્વપૂર્ણ વાત એ છે કે તપાસના ઘેરામાં આવેલા નિર્ણયોમાં પૂર્વ કમાન પ્રમુખ અને હાલના સેનાધ્યક્ષ જનરલ વિક્રમ સિંહના નિર્ણયોને પણ ચકાસવામાં આવ્યાં છે.
સેના મુખ્યાલયે પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે તમામ નિર્ણય કમાંડ સ્તર પર આઇએફએની મંજૂરીથી લેવામાં આવ્યા છે. સાથે જ પારદર્શક પ્રક્રિયાનું પણ પાલન કરવામાં આવ્યું છે. સેના મુખ્યાલય અનુસાર આ સંબંધમાં રક્ષા ઓડિટ નિયંત્રક તરફથી ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના એક પછી એક જવાબ આપવામાં આવ્યા છે.
અધિકૃત સૂત્રોનું કહેવું છે કે રક્ષા મંત્રાલયેપોતાના મોટાભાગના નાણા પ્રબંધનને સુધારવાની કવાયદ શરૂ કરી દીધી છે. સેનાની ડિટેક્ટિવ વિંગે સંચાર ઉપકરણોની ખરીદીના સંબંધમાં ઘણા દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. ઓડિટ રિપોર્ટ અનુસાર આ તમામ ખરીદી નિયમોના ઉલંઘન કરીને કરવામાં આવી છે. તેવામાં ખોટા ખર્ચાની સાથે દેશની સુરક્ષા સાથે પણ બાંધછોડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
