આઝમ ખાનનું શરમજનક નિવેદન: પુરસ્કાર વહેંચવાથી નહી બાળકો પેદા કરવા માટે મર્દાનગી જોઇએ
લખનઉ, 20 ડિસેમ્બર: પોતાના વિવાદાસ્પદ અને નફરત ફેલાવનાર નિવેદનોને લીધે ચર્ચામાં રહેનાર સમાજવાદી પાર્ટીના મુસ્લિમ ચહેરા અને અખિલેશ યાદવ સરકારના કેબિનેટ મંત્રી આઝમ ખાન ફરી એકવાર વિવાદોમાં છે. હિન્દુ સંગઠનો પર નિશાન સાધતાં આઝમ ખાને કહ્યું કે પુરસ્કાર વહેંચવાથી બાળકો પેદા થતા નથી, બાળકો પેદા કરવા માટે મર્દાનગીની જરૂરિયાત છે.
આઝમ ખાનને આ હલકું નિવેદન ગુરૂવારે લખનઉમાં અલ્ખસંખ્યકોના અધિકાર દિવસના અવસર પર આપ્યું હતું. તેમણે કોઇપણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે બાળકો પેદા કરવા માટે મર્દાનગીની જરૂરિયાત હોય છે, ફક્ત પુરસ્કાર વહેંચવાથી બાળકો પેદા થતા નથી. આઝમ ખાનના આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ આડે હાથ લીધું હતું છે અને કહ્યું કે આઝમ ખાન દેશમાં ભાગલાના રાજકારણને હવા આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

ભાજપે કહ્યું કે આઝમ ખાનના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂરિયાત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં શિવસેનાએ પણ ઉત્તર પ્રદેશમાં 'હિન્દુ વસ્તી વધારો' અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી. શિવસેનાના યૂપી અધ્યક્ષ અનિલ સિંહે તો ત્યાં સુધી જાહેરાત કરી દિધી હતી કે હિન્દુ દંપતિઓને 10થી વધુ બાળકો હશે તો તેમને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ નિવેદનથી પણ ખૂબ વિવાદ થયો અને નેતાઓની ખૂબ જ પ્રતિક્રિયાઓ આવી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે આઝમ ખાનનું નિવેદન શિવસેનાના ઉપર નિશાન હતું.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
