આઝમ ખાનના ઇશારે થયો જયા સાથે દૂર્વ્યવહાર: અમર સિંહ

અમર સિંહે સીધો આરોપ આઝમ ખાન પર લગાવતા જણાવ્યું કે તેમના કહેવાથી જ આરટીઓ કૌશલેન્દ્રસિંહ યાદવે જયા બચ્ચન સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમની ગાડી પરથી લાલબત્તી હટાવી લીધી.
અમરસિંહે જણાવ્યું કે 'શું જે અખિલેશ યાદવે કુંડાના ડીએસપી જિયાઉલ હકની હત્યામાં શંકાના આધારે રાઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફ રાજા ભૈયા અને કેબિનેટ મંત્રી રાજારામ પાંડેય દ્વારા સુલ્તાનપુરના ડીએમ કે. ઘનલક્ષ્મી તથા ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અને માધુરી દીક્ષિત પર અશોભનીય ટિપ્પણી કરનાર મંત્રીને સંસ્પેન્ડ કરી દીધો, શું તે અભદ્રતા કરાવનાર અધિકારી અને મંત્રી આઝમ ખાનની વિરુદ્ધ કાર્યવાઇ કરશે.?'
ઉલ્લેખનીય છે કે રામપૂર પ્રવાસ દરમિયાન જયા બચ્ચનની ગાડીની લાલ બત્તી આરટીઓ કૌશલેન્દ્રએ ગાડીની લાલ બત્તી ઉતારી લેવડાવી અને તેમની પાસે દંડ પણ વસૂલવામાં આવ્યો. જયાએ આની તપાસ માટે દિલ્હી ગેંગરેપ બાદ બનેલા મહિલા સુરક્ષા કાનૂન અંતર્ગત મહિલા પંચે, ઇલાહાબાદ હાઇકાર્ટ, લોકસભા અધ્યક્ષ અને રાષ્ટ્રપતિને અપિલ કરી છે.












Click it and Unblock the Notifications
