મમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું
મમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યાના ત્રણ અઠવાડિયા બાદ પણ ઈવીએમને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ લોકસભા ચૂંટણીમાં ગડબડીની આશંકાને લઈ રાયબરેલીમાં એક નિવેદન આપ્યું હતું, તો હવે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ ઈવીએમને લઈ મોટું નિવેદન આપ્યું છે. મમતા બેનરજીએ કહ્યું કે લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે પહેલેથી જ ઈવીએમમાં પોતાના હિસાબે પ્રોગ્રામિંગ કર્યું હતું.

ચૂંટણી પહેલા ભાજપે કર્યું હતું ઈવીએમમાં પ્રોગ્રામિંગ
મમતા બેનરજીએ તમામ વિપક્ષી દળો સમક્ષ આ વાતનું સત્ય સામે લાવવા માટે એક ટીમ બનાવવાની અપીલ કરી. મમતા બેનરજીએ કહ્યું કે અમે કોંગ્રેસ પાર્ટી સાથે આ સંબંધમાં વાત કરી ચૂક્યા છીએ, જરૂરત પડી તો આના માટે કોર્ટ પણ જઈશું અને ચૂંટણીમાં થયેલ ધાંધલીનો પડકાર ફેંકશું. મમતા બેનરજીએ ભાજપના દાવા પર કહ્યું કે રિઝલ્ટ આવતા પહેલા જ લગભગ વાસ્તવિક આંકડાઓને લઈ કેવી રીતે અનુમાન લગાવી શકાય છે. જણાવી દઈએ કે ચૂંટણી પહેલા પણ વિપક્ષી દળોએ ઈવીએમને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને આ મામલો સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયો હતો.

જરૂર પડી તો મમતા બેનરજી કોર્ટ જશે
ઈવીએમ પર સવાલ ઉઠાવતા મમતા બેનરજીએ કહ્યું કે ભાજપના લોકો કેવો દાવો કરી રહ્યા હતા કે આખા દેશમાં 300થી વધુ સીટ પર જીત નોંધાવશે અને બંગાળમાં 23 સીટ મળશે. એક બંગાળી ચેનલને આપેલ ઈન્ટર્વ્યૂમાં મમતા બેનરજીએ ભાજપ પર ભારે નિશાન સાધ્યું. મમતા બેનરજીએ વામ દળોના સમર્થકોને ભાજપમાં સામેલ ન થવા અપીલ કરી છે. મમતા બેનરજીએ રાજ્યપાલ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ ભાજપના પ્રવક્તા જેવા છે. ભાજપે સર્વદળીય બેઠક બોલાવવા કહ્યું અને તેમણે આવું જ કર્યું.

રાજ્યપાલ ભાજપના પ્રવક્તાની જેમ મમતા
મમતા બેનરજીએ કહ્યું કે તેમણે મને બોલાવી હતી પરંતુ મેં કહી દીધુ કે હું ન આવી શકું કેમ કે તમે રાજ્યપાલ છો અને હું નિર્વાચિત સરકાર છું, કાયદો-વ્યવસ્થા રાજ્યનો મામલો છે, આ તમારો વિષય નથી. પશ્ચિમ બંગાળના સીએમે કહ્યું કે રાજ્યપાલ એક કપ ચા અથવા શાંતિ બેઠક માટે લોકોને બોલાવી શકે છે. તેમણે કહ્યું કે આ કારણે પાર્ટી તરફથી એક પ્રતિનિધિને મોકલી રહી છું જે ત્યાં જઈ ચા પીને આવશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
