મનમોહનસિંહને રાજીનામું આપવા ભાજપાનું દબાણ

ભાજપી કાર્યકરતાઓ દ્વારા પ્રધાનમંત્રીના રાજીનામાની માંગને લઇને તેમના ઘર સામે ભારે નારેબાજી કરાઇ હતી. ભીડને વિખેરવા માટે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો પણ કર્યો અને નવી દિલ્હીમાં ધારા 144 લગાવી દીધી છે. પીએમ રહેઠાણ પાસે મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે.
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે ગઇકાલે કહ્યું હતું કે તેમની પાર્ટી 'વોચડોગ'ની ભૂમિકા નિભાવી રહી છે. અમે અમારી લડાઇ સંસદની અંદર લડી ચૂક્યા છે અને હવે માર્ગો પર ઉતરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી.
તેમણે જાહેરાત કરી કે 27 મેથી 2 બે જૂનની વચ્ચે ભાજપા દેશભરમાં જેલ ભરો આંદોલન કરશે અને ઠેર-ઠેર પંચાયતો યોજીને જનતાને કેન્દ્રની યુપીએ સરકારની કાળી કરતૂતોથી અવગત કરાવીશું.












Click it and Unblock the Notifications
