For Quick Alerts
For Daily Alerts
મનમોહનસિંહને રાજીનામું આપવા ભાજપાનું દબાણ
ભાજપી કાર્યકરતાઓ દ્વારા પ્રધાનમંત્રીના રાજીનામાની માંગને લઇને તેમના ઘર સામે ભારે નારેબાજી કરાઇ હતી. ભીડને વિખેરવા માટે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો પણ કર્યો અને નવી દિલ્હીમાં ધારા 144 લગાવી દીધી છે. પીએમ રહેઠાણ પાસે મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે.
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે ગઇકાલે કહ્યું હતું કે તેમની પાર્ટી 'વોચડોગ'ની ભૂમિકા નિભાવી રહી છે. અમે અમારી લડાઇ સંસદની અંદર લડી ચૂક્યા છે અને હવે માર્ગો પર ઉતરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી.
તેમણે જાહેરાત કરી કે 27 મેથી 2 બે જૂનની વચ્ચે ભાજપા દેશભરમાં જેલ ભરો આંદોલન કરશે અને ઠેર-ઠેર પંચાયતો યોજીને જનતાને કેન્દ્રની યુપીએ સરકારની કાળી કરતૂતોથી અવગત કરાવીશું.
Comments
bjp protest pm resignation police manmohan singh rajnath singh રેલગેટ કોલગેટ કાનૂનમંત્રી ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મનમોહનસિંહ
English summary
BJP youth activists protest near PM's residence to demand his resignation, clash with police.
Story first published: Sunday, May 12, 2013, 15:09 [IST]