એર ઇન્ડિયામાં એ 330નું સ્થાન લેશે બોઇંગ 787
ઉલ્લેખની છે કે થોડા સમય પહેલા બોઇંગ 777ના સ્થાને બોઇંગ 787ને ચલાવવાનો નિર્ણય લીધો હતો. હવે એર ઇન્ડિયાએ ઓ 330નું સ્થાન પણ બોઇંગ 787ને આપવાનો નિર્ણય લીધો છે.
આ અંગે એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "અમને આશા છે કે બોઇંગ 787ના ઉપયોગથી અમે ઇંધણનો ખર્ચો બચાવી શકીશું. જેના કારણે અમને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત તેમાં નવી ટેકનોલોજીની સાથે નવી સુવિધાઓ હોવાથી પણ પ્રવાસીઓને આકર્ષવામાં અમને મદદ મળશે."
વર્તમાન સમયમાં એર ઇન્ડિયા પાસે લીઝ પર લીધેલા બે એ 330 એરક્રાફ્ટ છે જેનો ઉપયોગ જાપાન અને ગલ્ફના રૂટ પર થાય છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી 787નો ઉપયોગ શરૂ ના થાય ત્યાં સુધી એ 330ની સેવાઓ ચાલુ રાખવામાં આવશે. હવે 787નો ઉપયોગ શરૂ થઇ ગયો છે ત્યારે તેને ક્ર્મશ: એ 330ના સ્થાને મૂકવામાં આવશે. બોઇંગ 787નો ઉપયોગ ગલ્ફ ઉપરાંત સિંગાપોર, ટોકિયો અને હોંગ કોંગના રૂટ માટે પણ કરવામાં આવશે.