દરેક રાજકીય પાર્ટીને લાગ્યા બજેટ 2017નો આ ફટકો
નાણાં પ્રધાન અરુણ જેટલીએ રાજનૈતિક પાર્ટી માટે ઊભી કરી આ મુશ્કેલી, વધુ વાંચો અહીં...
રાજનૈતિક પાર્ટીઓને મળનારી ફડિંગને વધુ પારદર્શક બનાવવા માટે બજેટમાં 2017 નાણાં પ્રધાન અરુણ જેટલી તેવી જાહેરાત કરી છે કે ખાલી 2000 રૂપિયા જ કેશમાં દાન સ્વીકારવામાં આવશે. વધુમાં સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે ખાલી 20,000 રૂપિયા સુધીના ચંદા પર જ રાજનૈતિક પાર્ટીઓને કોઇ હિસાબ નહીં આપવો પડે. જેટલી કહ્યું કે 2000 રૂપિયાથી ઉપરના ફંડને ચેક અને RTGS કે પછી NEFT દ્વારા આપી શકાશે.
Read also: બજેટ પર મનીષ સિસોદિયાનો કટાક્ષ, શાકવાળાને રાહત કેમ?
નાણાં પ્રધાને કહ્યું કે વિવિધ પક્ષો દાન આપવા માટે રાજનૈતિક દળોના બોન્ડ પણ ખરીદી શકે છે. આ બોન્ડ સંબંધિત રાજનૈતિક પાર્ટીના ખાતામાં રિડીમ રહેશે. જેટલીએ આ સંબંધે જાહેરાત કરતા પહેલા સદનમાં કહ્યું કે અધ્યક્ષ મહોદયા, હવે હું તમને કંઇક તેવું કહેવા માંગુ છે જે આપણા બધાથી જોડાયેલું છે. જેટલીએ તેમ પણ કહ્યું કે 70 વર્ષ જૂની સિસ્ટમને બદલવા માટે તમારે લાંબો રસ્તો તૈયાર કરવો પડશે.