For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રત્નાગિરીમાં બસ નદીમાં ખાબકી, 36ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bus-accident
મુંબઇ, 19 માર્ચ: મહારાષ્ટ્રમાં રત્નાગિરીના ખેડામાં એક બસ નદીમાં ખાબકી ગઇ હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. હાલમાં રાહત અને બચાવકાર્યનું કામ ચાલુ થઇ ગયું છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. આ ઘટનામાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે તેમની ઓળખવિધી ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બસ ગોવાથી મુંબઇ જઇ રહી હતી. કહેવામાં આવે છે કે બસમાં કેટલાક વિદેશી નાગરિકો પણ મુસાફરી કર્યા હતા જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. આ બસ મહાકાળી ટ્રાવેલ્સની છે. આ વિસ્તારના એસી દિપક પાંડેએ જણાવ્યું હતું કે 54 સીટર બસ હતી. બસ ગોવાથી મુંબઇ જઇ રહી હતી. ખેડા નજીક નાના પુલ પરથી પસાર થઇ રહેલી ત્યારે પુલ સાથે ટકરાતાં બસ નદીમાં ખાબકી હતી.

ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 લોકોને બચાવવામાં આવ્યાં છે જેમાં 9 લોકોની સ્થિતી ગંભીર છે. રસિયન મહિલાને બચાવવામાં આવી છે. બસને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બંને તરફ અવર-જવરમાં અસર વર્તાઇ રહી છે. મોટા વાહનોને ડાઇવર્ટ કરવામાં આવ્યાં છે.

English summary
At least 37 people were killed and over 15 injured when a Mumbai-bound private luxury bus plunged into a river in Ratnagiri district of coastal Konkan area on Tuesday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X