For Quick Alerts
For Daily Alerts
રત્નાગિરીમાં બસ નદીમાં ખાબકી, 36ના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે બસ ગોવાથી મુંબઇ જઇ રહી હતી. કહેવામાં આવે છે કે બસમાં કેટલાક વિદેશી નાગરિકો પણ મુસાફરી કર્યા હતા જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. આ બસ મહાકાળી ટ્રાવેલ્સની છે. આ વિસ્તારના એસી દિપક પાંડેએ જણાવ્યું હતું કે 54 સીટર બસ હતી. બસ ગોવાથી મુંબઇ જઇ રહી હતી. ખેડા નજીક નાના પુલ પરથી પસાર થઇ રહેલી ત્યારે પુલ સાથે ટકરાતાં બસ નદીમાં ખાબકી હતી.
ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 લોકોને બચાવવામાં આવ્યાં છે જેમાં 9 લોકોની સ્થિતી ગંભીર છે. રસિયન મહિલાને બચાવવામાં આવી છે. બસને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બંને તરફ અવર-જવરમાં અસર વર્તાઇ રહી છે. મોટા વાહનોને ડાઇવર્ટ કરવામાં આવ્યાં છે.
Comments
English summary
At least 37 people were killed and over 15 injured when a Mumbai-bound private luxury bus plunged into a river in Ratnagiri district of coastal Konkan area on Tuesday morning.