રત્નાગિરીમાં બસ નદીમાં ખાબકી, 36ના મોત

અત્રે ઉલ્લેખનીય છે કે બસ ગોવાથી મુંબઇ જઇ રહી હતી. કહેવામાં આવે છે કે બસમાં કેટલાક વિદેશી નાગરિકો પણ મુસાફરી કર્યા હતા જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. આ બસ મહાકાળી ટ્રાવેલ્સની છે. આ વિસ્તારના એસી દિપક પાંડેએ જણાવ્યું હતું કે 54 સીટર બસ હતી. બસ ગોવાથી મુંબઇ જઇ રહી હતી. ખેડા નજીક નાના પુલ પરથી પસાર થઇ રહેલી ત્યારે પુલ સાથે ટકરાતાં બસ નદીમાં ખાબકી હતી.
ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 લોકોને બચાવવામાં આવ્યાં છે જેમાં 9 લોકોની સ્થિતી ગંભીર છે. રસિયન મહિલાને બચાવવામાં આવી છે. બસને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બંને તરફ અવર-જવરમાં અસર વર્તાઇ રહી છે. મોટા વાહનોને ડાઇવર્ટ કરવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
