યેદુરપ્પાએ ભાજપનો સાથ છોડવાના સંકેત આપ્યા, ડિસેમ્બરમાં નિર્ણય લેશે
તેમને કહ્યું છે કે તે પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે યોગ્ય સમયની રાહ જોશે અને ડિસેમ્બરના અંત સુધી કોઇ નિર્ણય લેશે. આ લાંબાગાળાની રાહ જોવા અંગેનો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે તે જગદીશ શેટ્ટારની સરકારને હલાવવા માંગતા નથી. રાજ્યમાં ચાર વર્ષ બાદ પ્રથમ વખત ભાજપની સરકાર બની છે.
જગદીશ શેટ્ટારની સરકાર ચાર વર્ષમાં ભાજપની ત્રીજી સરકાર છે. ભાજપના પ્રથમ મુખ્યમંત્રી યેદુરપ્પાને ખાણ-પટ્ટાની ફાળવણીમાં લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યા બાદ ગત વર્ષે જૂલાઇમં તેમને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીએ પદ છોડ્યા બાદ તે ફક્ત સત્તાધારી પાર્ટીના એક સભ્ય તરીકે નહી પરંતુ વિપક્ષી પાર્ટીના સભ્યની ભૂમિકા પણ ભજવી રહ્યાં છે. તેમને દાવો કર્યો છે કે આ વર્ષે જૂલાઇમાં સત્તામાં આવ્યા પછી શેટ્ટાર સરકારે લોકોના ભલા માટે જે ઉપાયોની જાહેરાત કરી છે તેનો શ્રેય તેમને જાય છે.