CBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપ
આલોક વર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને યાચિકી દાખલ કરીને કહ્યુ છે કે સરકાર ઘણી બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી હતી.
દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સીબીઆઈમાં બે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ થમવાનું નામ નથી લઈ રહ્યો. વધતા વિવાદ વચ્ચે સરકારે મામલાની તપાસ ચાલે ત્યાં સુધી સીબીઆઈ ડાયરેક્કટ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને છુટ્ટી પર મોકલી દીધા છે. પરંતુ હવે આલોક વર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને યાચિકા દાખલ કરીને કહ્યુ છે કે સરકાર ઘણી બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી હતી. તેમણે પોતાને છુટ્ટી પર મોકલી દેવાના નિર્ણયને પણ ગેરબંધારણીય ગણાવ્યુ છે.

કેન્દ્ર સરકાર પર દખલ દેવાનો આરોપ
આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરીને કહ્યુ છે કે કેન્દ્ર સરકારે રાતોરાત તેમના અધિકારી છીનવી લીધા. આ પગલુ સીબીઆઈની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ છે. આલોક વર્માએ ઈશારો કર્યો છે કે સરકારની ચિંતા વધારનારા કેસોની તપાસના કારણે કદાચ તેમને છુટ્ટી પર મોકલી દેવામાં આવ્યા છે. તેમણે પોતાને છુટ્ટી પર મોકલી દેવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યુ છે.

સીવીસી પર ઉઠાવ્યા સવાલ
બુધવારે સવારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની ખંડપીઠ સમક્ષ વકીલ ગોપાલ શંકરનારાયણને આલોક વર્માની યાચિકાનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યુ છે કે સંવેદનશીલ બાબતોમાં તપાસ અધિકારી બદલવામાં આવી રહ્યા છે. જે ઘણા ગંભીર મામલાઓની તપાસને જોખમમાં મૂકી શકે છે. અદાલતે જલ્દી સુનાવણીની અપીલ માનીને આ મામલો શુક્રવારે સાંભળવાનું સૂચિબદ્ધ કર્યુ છે.

26 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
આલોક વર્માએ 23 ઓક્ટોબરના રોજ સીવીસી અને DoPT ના આપેલા નિર્ણયને રદ્દ કરવાની માંગ કરી અને કહ્યુ કે અધિકાર ક્ષેત્રની બહાર અપાયેલ નિર્ણય બંધારણના અનુચ્છેદ 14, 19 અને 21 નું ઉલ્લંઘન છે. તેમણે દાવો કર્યો કે સીવીસીનો નિર્ણય મનસ્વી અને કાનૂની પ્રક્રિયાને અનુરૂપ નહોતો. આ યાચિકા પર હવે સુપ્રીમ કોર્ટમાં 26 ઓક્ટોબરે સુનાવણી થશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
