CBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપ
આલોક વર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને યાચિકી દાખલ કરીને કહ્યુ છે કે સરકાર ઘણી બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી હતી.
દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સીબીઆઈમાં બે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ થમવાનું નામ નથી લઈ રહ્યો. વધતા વિવાદ વચ્ચે સરકારે મામલાની તપાસ ચાલે ત્યાં સુધી સીબીઆઈ ડાયરેક્કટ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને છુટ્ટી પર મોકલી દીધા છે. પરંતુ હવે આલોક વર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને યાચિકા દાખલ કરીને કહ્યુ છે કે સરકાર ઘણી બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી હતી. તેમણે પોતાને છુટ્ટી પર મોકલી દેવાના નિર્ણયને પણ ગેરબંધારણીય ગણાવ્યુ છે.

કેન્દ્ર સરકાર પર દખલ દેવાનો આરોપ
આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરીને કહ્યુ છે કે કેન્દ્ર સરકારે રાતોરાત તેમના અધિકારી છીનવી લીધા. આ પગલુ સીબીઆઈની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ છે. આલોક વર્માએ ઈશારો કર્યો છે કે સરકારની ચિંતા વધારનારા કેસોની તપાસના કારણે કદાચ તેમને છુટ્ટી પર મોકલી દેવામાં આવ્યા છે. તેમણે પોતાને છુટ્ટી પર મોકલી દેવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યુ છે.

સીવીસી પર ઉઠાવ્યા સવાલ
બુધવારે સવારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની ખંડપીઠ સમક્ષ વકીલ ગોપાલ શંકરનારાયણને આલોક વર્માની યાચિકાનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યુ છે કે સંવેદનશીલ બાબતોમાં તપાસ અધિકારી બદલવામાં આવી રહ્યા છે. જે ઘણા ગંભીર મામલાઓની તપાસને જોખમમાં મૂકી શકે છે. અદાલતે જલ્દી સુનાવણીની અપીલ માનીને આ મામલો શુક્રવારે સાંભળવાનું સૂચિબદ્ધ કર્યુ છે.

26 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
આલોક વર્માએ 23 ઓક્ટોબરના રોજ સીવીસી અને DoPT ના આપેલા નિર્ણયને રદ્દ કરવાની માંગ કરી અને કહ્યુ કે અધિકાર ક્ષેત્રની બહાર અપાયેલ નિર્ણય બંધારણના અનુચ્છેદ 14, 19 અને 21 નું ઉલ્લંઘન છે. તેમણે દાવો કર્યો કે સીવીસીનો નિર્ણય મનસ્વી અને કાનૂની પ્રક્રિયાને અનુરૂપ નહોતો. આ યાચિકા પર હવે સુપ્રીમ કોર્ટમાં 26 ઓક્ટોબરે સુનાવણી થશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
