સીબીઆઇએ મને જબરદસ્તી ફસાવ્યો છે: કટારિયા

કટારિયાએ કહ્યું કે સીબીઆઇએ સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર મામલામાં રજૂ કરવામાં આવેલ આગોતરા આરોપ પત્રમાં તેમની સામે કોઇ દસ્તાવેજ લગાવ્યા નથી. આવામાં સ્પષ્ટ છે કે સીબીઆઇએ ઉતાવળીયા પગલા ભરીને તેમને ફસાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ મુંબઇની એક કોર્ટમાં સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર મામલામાં રજૂ કરવામાં આવેલ આગોતરી ચાર્જશીટમાં તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા અને રાજસ્થાનના પ્રમુખ માર્બલ વ્યવસાયીને આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટે કટારિયા અને માર્બલ વ્યવસાયી જામીન અરજી મંજૂર કરી છે.












Click it and Unblock the Notifications
