નવી દિલ્હી, 2 જૂન: કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યો છે. સુરજેવાલાએ પેટ્રોલ કિંમતોને લઇને સરકાર પર નિશાનો સાધ્યો છે. સુરજેવાલાએ જણાવ્યું કે મોદીજીના નેતૃત્વમાં મનમોહન સિંહે એક કમિટિનું ગઠન કર્યું હતું. તેની 64 બિંદુઓની રિપોર્ટની ચર્ચા સાંભળી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેને ઉપર રાખી દેવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે હવે મોદી સરકારને એક અઠવાડિયું થઇ ચૂક્યું છે. 8 દિવસમાં 64 બિંદુમાંથી કેટલાં કામ થઇ રહ્યા છે. શું તેઓ બધા નીતિગત મુદ્દાઓ જે પોતે મોદીએ જ લખીને મોકલ્યા હતા શું તેઓ તેની પર કાર્યવાહી કરશે. પાછલી યુપીએ સરકારને પેટ્રો કિંમતોના નિર્ધારણ પર મોદીજી અને ભાજપની ટિકા સહન કરવી પડી. ત્યાર બાદ પણ વડાપ્રધાને જણાવ્યું હતું કે પેટ્રો પદાર્થો પર કિંમતોની રાજનીતિ રિવર્સ કરશે.
છેલ્લે બે દિવસોમાં નીતિ અને વ્યાખ્યા બદલી રહ્યા છે. અમે દેશના વડાપ્રધાન પાસે એ જાણવા માંગીએ છીએ કે પેટ્રો પદાર્થો પર તેમની શું નીતિ છે. વડાપ્રધાન પોતાના અનુભવથી અને સરકાર પોતાના ચિંતનથી મિન 64 બિંદુઓ પર કાર્યવાહી કરશે. દેશને બતાવે કે તેમની સરકાર પેટ્રો પદાર્થની કિંમત ઘટાડા માટે શું કરવાની છે.