નવા રેલવેમંત્રી તરીકે જયરામ રમેશને મળી શકે છે લીલીઝંડી
જેમાં સૌથી મહત્વ હોદ્દો રેલવે મંત્રીનો છે જે હાલમાં મુકુલ રૉય પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી માહિતી મુજબ ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશને રેલવે મંત્રીનો હોદ્દો સોંપવામાં આવી શકે છે. આ અગાઉ 1995માં રેલવે મંત્રીનું પદ કોંગ્રેસને મળ્યું હતું અને તે સમયે સુરેશ કલમાડી પાસે આ હોદ્દો હતો.
રેલવે મંત્રી સહિત તૃણમૂલ કોંગેસના પાર્ટીના 5 રાજ્યમંત્રીઓ પણ યૂપીએ સરકારને ટાટા બાય બાય કહી દેશે. જેમાં રાજ્યકક્ષાના સૌગત રે શહેરી વિકાસ મંત્રી, સુલ્તાન અહેમદ પર્યટન મંત્રી, સંદિપ બંદોપાધ્યાપ આરોગ્ય મંત્રી, શિશિર કુમાર અધિકારી ગ્રામિણ વિકાસ મંત્રી, ચૌધરી જટુઆ સુચના પ્રસારણ મંત્રીનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં નવા ફેરબલમાં આ હોદ્દાઓને નવા માથાઓથી સજાવી શકાય છે. નવા ચહેરાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટને આગળ લાવી શકાય છે. મળતી માહિતી મુજબ દીપાદાસ મુન્શીને મંત્રીપદ સોંપવામાં આપી શકાય તેમ છે. જો કે મુખ્યમંત્રીઓમાં કોઇપણ જાતનો ફેરફાર જોવા મળે તેવી સંભાવના નથી.
બિગ ફોર રક્ષા મંત્રી એકે એન્ટની, નાણામંત્રી પી ચંદમ્બરમ, ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અને વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાના હોદ્દામાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે. કેબિનેટ ફેરબદલમાં ડબલ ચાર્જ સંભાળી રહેલા મંત્રીઓનો ભાર ઓછો કરવામાં આવશે.