દિલ્હી સર્વે: 'શીલા જવાની', આપો 'આપ'- ભાજપ મજબૂત સ્થિતિમાં
નવી દિલ્હી, 31 ઓક્ટોબર: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવી શકે છે. સીએસડીએસ દ્વારા જે પ્રી પોલ સર્વે કરવામાં આવ્યો છે એ અનુસાર દિલ્હીમાં મુકાબલો ભાજપ-કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ત્રિકોણીય સંઘર્ષ બની રહેશે. અહીં સુધી કે આરટીઆઇ એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા નવી બનાવેલી આમ આદમી પાર્ટી પણ વોટ મેળવવામાં બીજી સૌથી મોટી પાર્ટી સાબિત થવા જઇ રહી છે.
સર્વે અનુસાર જો આજે ચૂંટણી થઇ જાય તો ભાજપને સૌથી વધારે 29 ટકા વોટ મળશે. કોંગ્રેસને 27 ટકા વોટ મળશે, પરંતુ સૌથી ચોંકાવનારો આંકડો આમ આદમી પાર્ટીનો છે, જેને 28 ટકા વોટ મળતા દેખાઇ રહ્યા છે. હા અરવિંદ કેજરીવાલનું ઝાડું આ પહેલી જ વારમાં જોરદાર મતો મેળવીને વિપક્ષોના વોટોનો સફાયો કરવા જઇ રહી છે.
જો આ વોટોને બેઠકોમાં પરિવર્તિત કરી દેવામાં આવે તો ભાજપને 22થી 28 બેઠકો મળી શકે છે. એટલે કે 70 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ સત્તાની નજીક પહોંચીને રોકાતી દેખાઇ રહી છે. બીજી બાજું કોંગ્રેસ 19-25ની વચ્ચે સમેટાઇ રહી છે જેના પગલે સ્પષ્ટ થાય છે કે શીલા સરકારનું આ વખતે સત્તામાં ફરી આવવું સંભવિત નથી લાગતું. પરંતુ સૌથી મહત્વપૂર્ણ આંકડો આમ આદમી પાર્ટીનો છે.

સર્વે અનુસાર કોંગ્રેસ અને ભાજપને 2002માં મળેલા વોટ 2013માં ખૂબ જ હદ સુધી તેનાથી પાછા ધકેલાતા જઇ રહ્યા છે અને આ હાથમાંથી ગયેલા વોટ ભેગા કરી રહી છે કેજરીવાલની આમ આદમી પાર્ટી. બીએસપીને આ વખતે 7 ટકા વોટ મળવાની સંભાવના છે. અન્યને 9 ટકા વોટ મળી રહ્યા છે.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
