For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીએસપી હત્યાકાંડ: રાજા ભૈયાનું પોલીગ્રાફ ટેસ્ટ બાદ આજે ખુલશે રાજ

|
Google Oneindia Gujarati News

raja bhaiya
નવી દિલ્હી, 20 જૂન : ડીએસપી જિયાઉલ હક હત્યાકાંડમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને બાહૂબલી નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાનો પોલીગ્રાફી ટેસ્ટ આજે દિલ્હી ખાતે કરવામાં આવશે. સીબીઆઇની વિશેષ કોર્ટ રાજા ભૈયાનું પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માટેની પરવાનગી પહેલા જ આપી ચૂકી છે.

વશેષ ન્યાયિક મેજિસ્ટ્રેટ(સીબીઆઇ) મિર્ઝા જીનતની કોર્ટે કેસની તપાસ કરી રહેલ સીબીઆઇની અરજી પર જિયાઉલ હક હત્યાકાંડમાં રાજાભૈયાની પરવાનગીથી તેમનું પોલીગ્રાફ ટેસ્ટ કરવા દેવાની પરવાનગી આપી છે. રાજાભૈયાએ કોર્ટમાં પોતાના વકિલની સાથે હાજર થઇને કહ્યું હતું કે તેઓ ડીએસપી હત્યાકાંડ મામલામાં આરોપી પણ નથી અને શંકાસ્પદ પણ નથી.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈ 2 માર્ચના રોજ બલીપૂરમાં થયેલી જિયાઉલ હક હત્યાકાંડમાં 15 અને 16 મેના રોજ ભૈયાની લાંબી પૂછપરછ કરી ચૂકી છે. જિયાઉલ હકની પત્ની પરવીન આઝાદે રાજા ભૈયા પર તેમના પતિની હત્યા કરાવી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ રાજા ભૈયાને મંત્રી પદથી રાજીનામુ આપવું પડ્યું હતું.

English summary
CBI on Wednesday allowed the investigative agency to conduct a polygraph test on former Uttar Pradesh minister Raghuraj Pratap Singh aka Raja Bhaiya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X