Covid-19: મોદી સરકાર એક્શનમાં, પાકિસ્તાન સહિત ચાર દેશની બોર્ડર સીલ
Covid-19: મોદી સરકાર એક્શનમાં, પાકિસ્તાન સહિત ચાર દેશની બોર્ડર સીલ
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તાજા આંકડાઓ મુજબ ભારતમાં કોરોનાવાઈરસથી પીડિત દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાઈરસના લપેટામાં આવવાથી 2 લોકોના મોત થયાં છે. આ વાઈરસ સામે લડવા માટે હવે કેન્દ્ર સરકારે પણ કમર કસી લીધી છે. સરકારે કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે દરેક સંભવ કોશિશ કરી રહી છે. સરકારે કોરોનાવાઈરસના સંક્રમણના ખતરાને જોતા Covid-19ને રાષ્ટ્રીય ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. સરકારે સંક્રમણને રોકવા માટે બોર્ડર સીલ કરવાનો ફેસલો લીધો છે.
પાકિસ્તાન બોર્ડર પણ સીલ
આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે વિદોશોથી આવતા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે પાંચ પાડોસી દેશો સાથેની બોર્ડર સીલ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ પર કાર્યવાહી કરતા ભારત-નેપાળ, ભારત-બાંગ્લાદેશ, ભારત-ભૂટાન, ભારત-મ્યાનમાર બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી 14 માર્ચે રાત્રે 12 વાગ્યે કરવામાં આવી છે. 15 માર્ચે 12 વાગ્યે રાતથી પાકિસ્તાન સાથે લાગેલ સીમા પણ સીલ કરી દેવામાં આવશે.
Coronavirus: સ્પેનના પ્રધાનમંત્રીની પત્નીને કોરોનાવાઈરસ