For Daily Alerts
મુકેશ અંબાણીને CRPF સુરક્ષાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો
બે સામાજીક કાર્યકરો નીતિન દેશપાંડે અને વિક્રાંત કર્ણિકે જનહિતની અરજી કરી છે. તેમણે અંબાણીને સીઆરપીએફ સિક્યૂરિટી મંજૂર કરવાના કેન્દ્ર સરકારના ગઈ 21 એપ્રિલના ઓર્ડરને રદ કરવાની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે અંબાણીને ત્રાસવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન તરફથી ધમકીભર્યા પત્રો કથિતપણે મોકલવામાં આવ્યા હોવા વિશે અંબાણીની ઓફિસ તરફથી મુંબઈ પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેમને માટે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાનો નિર્ણય મંજૂર કર્યો હતો.
જનહિતની અરજીમાં દલીલ કરતા જણાવવામાં આવ્યું છે કે સીઆરપીએફની રચના તાકીદની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કરવામાં આવી છે, રોજે રોજના કાયદો વ્યવસ્થાની ફરજો બજાવવા માટે નહીં.
mukesh ambani crpf security decision challenged court reliance industries મુકેશ અંબાણી સીઆરપીએફ સુરક્ષા નિર્ણય પડકારાયો કોર્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
English summary
CRPF security to Mukesh Ambani challenged in court.
Story first published: Tuesday, July 2, 2013, 9:41 [IST]