જાણો ક્યારે શું થયું હતું ? અફઝલ ગુરૂના કેસનો સંપૂર્ણ ઘટનાક્રમ

13 ડિસેમ્બર 2001: પાંચ આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘુસીને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દિધો. નવ લોકો મૃત્યું પામ્યાં અને 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.
15 ડિસેમ્બર 2001: દિલ્હી પોલીસે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના એક સભ્ય અફઝલ ગુરૂને જમ્મૂ-કાશ્મીરથી પકવામાં આવ્યો. દિલ્હી વિશ્વવિદ્યાલયના ઝાકિર હુસૈન કોલેજના એસએઆર ગિલાની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં ત્યારબાદ બે અન્ય- અફસાન ગુરૂ અને તેના પતિ શૌકત હુસૈન ગુરૂને પકડવામાં આવ્યાં.
29 ડિસેમ્બર 2001: અફઝલ ગુરૂને 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.
4 જૂન 2002 : ચાર લોકો- અફઝલ ગુરૂ, ગિલાની, શૌકત હુસૈન ગુરૂ, અફસાન ગુરૂ વિરૂદ્ધ આરોપો નક્કી કરાયા.
18 ડિસેમ્બર 2002 : એસઆર ગિલાની, શૌકત હુસૈન ગુરૂ અને અફજલ ગુરૂને મૃત્યુંદંડ જ્યારે અફસાન ગુરૂને અફસાન ગુરૂને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો.
30 ઑગષ્ટ 2003: સંસદ હુમલાના મુખ્ય આરોપી જૈશ-એ-મોહંમદ નેતા ગાજી બાબા શ્રીનગરમાં બીએસએફની મુઠભેડમાં મૃત્યું પામ્યો. 10 કલાક સુધી ચાલેલી મુડભેડમાં તેની સાથે વધુ ત્રણ આતંકવાદી ઠાર મરાયા.
29 ઑક્ટોબર 2003: સંસદ હુમલાના કેસ એસ આર ગિલાનીને નિર્દોષ સાબિત થયો.
4 ઑગષ્ટ 2005: સર્વોચ્ચ અદાલતે અફઝલ ગુરૂને મોતની સજા પર મોહર લગાવી તો બીજી તરફ શૌકત હુસૈન ગુરૂની મોતની સજાને બદલીને 10 વર્ષ સશ્રમ જેલ કઈ દિધી.
26 સપ્ટેમ્બર 2006 : દિલ્હી કોર્ટે અફઝલ ગુરૂને ફાંસીના માંચડે ચડાવવાનો આદેશ કર્યો.
3 ઓક્ટોબર : અફઝલ ગુરૂની પત્ની તબ્બસુમ ગુરૂને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સમક્ષ દયાની અરજી દાખલ કરી.
12 જાન્યુઆરી 2007 : સુપ્રિમ કોર્ટે મોતની સજાની સમીક્ષાને લઇને અફઝલ ગુરૂની યાચિકા 'વિચારણા લાયક નથી' કહી નકારી કાઢી.
19 મે 2010 : દિલ્હી સરકારે અફઝલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી, સુપ્રિમ કોર્ટ દ્રારા તેને આપવામાં આવેલા મૃત્યુંદંડનું સમર્થન કર્યું.
30 ડિસેમ્બર 2010 : દિલ્હીની તિહાર જેલમાંથી શૌકત હુસૈન મુક્ત કરાયો.
10 ડિસેમ્બર 2012 : ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે 22 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ અફજલ ગુરૂને ફાઇલ પર ધ્યાન આપીશું.
3 ફેબ્રુઆરી 2013: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અફઝલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી.
9 ફેબ્રુઆરી 2013 : તિહાર જેલમાં અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
