Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો ક્યારે શું થયું હતું ? અફઝલ ગુરૂના કેસનો સંપૂર્ણ ઘટનાક્રમ

parliament-afzal-guru
ગાંધીનગર: સંસદ હુમલાના આરોપી મોહંમદ અફઝલ ગુરૂને આજે સવારે સાડા આઠ વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી છે. જૈશ-એ-મોહંમદના આતંકવાદી અફઝલ ગુરૂના કેસનો સંપૂર્ણ ઘટનાક્રમ આ પ્રમાણે છે:

13 ડિસેમ્બર 2001: પાંચ આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘુસીને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દિધો. નવ લોકો મૃત્યું પામ્યાં અને 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.

15 ડિસેમ્બર 2001: દિલ્હી પોલીસે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના એક સભ્ય અફઝલ ગુરૂને જમ્મૂ-કાશ્મીરથી પકવામાં આવ્યો. દિલ્હી વિશ્વવિદ્યાલયના ઝાકિર હુસૈન કોલેજના એસએઆર ગિલાની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં ત્યારબાદ બે અન્ય- અફસાન ગુરૂ અને તેના પતિ શૌકત હુસૈન ગુરૂને પકડવામાં આવ્યાં.

29 ડિસેમ્બર 2001: અફઝલ ગુરૂને 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

4 જૂન 2002 : ચાર લોકો- અફઝલ ગુરૂ, ગિલાની, શૌકત હુસૈન ગુરૂ, અફસાન ગુરૂ વિરૂદ્ધ આરોપો નક્કી કરાયા.

18 ડિસેમ્બર 2002 : એસઆર ગિલાની, શૌકત હુસૈન ગુરૂ અને અફજલ ગુરૂને મૃત્યુંદંડ જ્યારે અફસાન ગુરૂને અફસાન ગુરૂને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો.

30 ઑગષ્ટ 2003: સંસદ હુમલાના મુખ્ય આરોપી જૈશ-એ-મોહંમદ નેતા ગાજી બાબા શ્રીનગરમાં બીએસએફની મુઠભેડમાં મૃત્યું પામ્યો. 10 કલાક સુધી ચાલેલી મુડભેડમાં તેની સાથે વધુ ત્રણ આતંકવાદી ઠાર મરાયા.

29 ઑક્ટોબર 2003: સંસદ હુમલાના કેસ એસ આર ગિલાનીને નિર્દોષ સાબિત થયો.

4 ઑગષ્ટ 2005: સર્વોચ્ચ અદાલતે અફઝલ ગુરૂને મોતની સજા પર મોહર લગાવી તો બીજી તરફ શૌકત હુસૈન ગુરૂની મોતની સજાને બદલીને 10 વર્ષ સશ્રમ જેલ કઈ દિધી.

26 સપ્ટેમ્બર 2006 : દિલ્હી કોર્ટે અફઝલ ગુરૂને ફાંસીના માંચડે ચડાવવાનો આદેશ કર્યો.

3 ઓક્ટોબર : અફઝલ ગુરૂની પત્ની તબ્બસુમ ગુરૂને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સમક્ષ દયાની અરજી દાખલ કરી.

12 જાન્યુઆરી 2007 : સુપ્રિમ કોર્ટે મોતની સજાની સમીક્ષાને લઇને અફઝલ ગુરૂની યાચિકા 'વિચારણા લાયક નથી' કહી નકારી કાઢી.

19 મે 2010 : દિલ્હી સરકારે અફઝલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી, સુપ્રિમ કોર્ટ દ્રારા તેને આપવામાં આવેલા મૃત્યુંદંડનું સમર્થન કર્યું.

30 ડિસેમ્બર 2010 : દિલ્હીની તિહાર જેલમાંથી શૌકત હુસૈન મુક્ત કરાયો.

10 ડિસેમ્બર 2012 : ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે 22 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ અફજલ ગુરૂને ફાઇલ પર ધ્યાન આપીશું.

3 ફેબ્રુઆરી 2013: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અફઝલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી.

9 ફેબ્રુઆરી 2013 : તિહાર જેલમાં અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X