શિક્ષક ભરતીમાં કૌભાંડઃ હરિયાણાના પૂર્વ સીએમની ધરપકડ
નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ દિલ્હીની એક અદાલતે ત્રણ હજારથી વધુ શિક્ષકોની ગેરકાયદે ભરતી મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા, તેમના પુત્ર અને અન્ય 53 લોકોને દોષી ઠેરવ્યા છે, ચૌટાલાને દોષી ઠેરવવામાં આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીના રોહિણીમાં સીબીઆઇ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય બાદ ચૌટાલાની ધરપકડ કરવામાં આવી. આ મામલે 22 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. તેમને તિહાર જેલમાં મોકલવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રો દ્વારા જણાવવામાં આવી છે. નોંધનીય છે કે, જેબીટી શિક્ષકોની ભરતી કૌભાંડ કેસની સુનાવણી 17 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ કોર્ટે ચુકાદો સંભળાવવા માટે આજનો દિવસ પંસદ કર્યો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા 62 લોકોને આરોપી બનાવ્યા હતા પરંતુ ટ્રાયલ દરમિયાન 6 લોકોના મોત નીપજ્યા જ્યારે એકને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
આ ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અને સંસદીય કાર્યમંત્રી રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે, કોર્ટે પોતાનું કામ કર્યું છે અને એ લોકોને ન્યાય મળશે જેમની સાથે ખોટું થયું છે.
ઉલ્લેખનીય છે કે, 1999-2000માં હરિયાણામાં 3206 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. તે સમયે હરિયાણામાં આઇએનએલડીની સરકાર હતી અને ઓમ પ્રકાશ ચૌટાલા રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના પર એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે નિયમ અને કાયદાને બાજુ પર રાખીને આ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
