પીએમ મોદીની હત્યાના ષડયંત્ર મામલે પત્રકાર, પ્રોફેસર સહિત 5 ની ધરપકડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પૂણે પોલિસને મોટી સફળતા મળી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પૂણે પોલિસને મોટી સફળતા મળી છે. સમાચાર છે કે પૂણે પોલિસે પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પાંચ મોટી ધરપકડ કરી છે. જેમાં પ્રોફેસર, પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા શામેલ છે.

જાણકારી મુજબ હત્યાના ષડયંત્ર મામલે હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીમાં રેડ પાડવામાં આવી. પોલિસે હૈદરાબાદથી પત્રકાર ગૌતમ નવલખાની ધરપકડ કરી છે કે જે બિઝનેસ વર્તમાનપત્રથી જોડાયેલા હતા. આ ઉપરાંત માઓવાદી સમર્થક વરાવરા રાવની ધરપકડ કરવામાં આવી છે. હ્યુમન રાઈટ્સ કાર્યકર્તા સુધા ભારદ્વાજની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈથી વરનન ગોંઝાલવિસની પણ ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ અરુણ ફરેરાના ઘરે પણ રેડ પાડવામાં આવી છે. આ સમગ્ર મામલો પહેલી વાર ત્યારે સામે આવ્યો જ્યારે પૂણે પોલિસે ભીમા કોરેગાંવ હિંસા મામલાની તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન પૂણે પોલિસે 5 લોકોની પહેલા જ ધરપકડ કરી લીધી હતી. આના પર પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) સાથે સંબંધ રાખવાનો આરોપ છે. પોલિસને આરોપીઓમાંથી એકના ઘરેથી ચિઠ્ઠી મળી છે. જેમાં એ વાતનો ઉલ્લેખ છે કે માઓવાદી 'વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડ' ની યોજના બનાવી રહ્યા છે. મળેલી ચિઠ્ઠીમાં લખ્યુ, 'પીએમ મોદીનો આખા દેશમાં વધતુ કદ આપણા પક્ષ માટે ખતરો છે.
મોદી લહેરનો ફાયદો ઉઠાવીને ભાજપ દેશના 15 થી વધુ રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. એવામાં પીએમ મોદીના ખાત્મા માટે કડક પગલાં લેવા જ પડશે. અમે વિચારી રહ્યા છે કે રાજીવ ગાંધી હત્યાકાંડની જેમ આને પણ અંજામ આપવામાં આવે જેથી જોવાથી આ આત્મહત્યા કે દૂર્ઘટના લાગે. વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડને અંજામ આપવા માટે પીએમના રોડ શો ને ટાર્ગેટ કરવામાં આવી શકે છે.' દિલ્હીમાં રોના વિલ્સનના ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં એમ-4 રાઈફલ અને ગોળીઓ ખરીદવા માટે આઠ કરોડ રૂપિયાની જરૂરતની વાત પણ લખેલી મળી. પોલિસે ડિસેમ્બરમાં એલગાર પરિષદ અને ત્યારબાદ જિલ્લામાં ભીમા-કોરેગાવ હિંસાથી સંબંધિત દલિત કાર્યકર્તા સુધીર ધાવલે, વકીલ સુરેન્દ્ર ગાડલિંગ, કાર્યકર્તા મહેશ રાઉત, શોમા સેન અને રોના વિલ્સનને મુંબઈ, નાગપુર તેમજ દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
