ભોજન ગેરન્ટી દ્વારા કુપોષણને દૂર કરી શકાશે: ચિદમ્બરમ

ચિદમ્બરમે જણાવ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં દેશનો ગ્રોથ રેટ 6 ટકા અથવા તેનાથી વધારે રહેશે. દૂરસંચાર સ્પેક્ટ્રમની નીલામી પર ચિદમ્બરમે જણાવ્યું કે હરાજી ટૂંક સમયમાં શરૂ થશે. સાથે સાથે તેમણે એવી આશા વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ, જમીન સંપાદન, અને સ્ટ્રીટ-પટરીવાલા સંબંધિત બિલ મોનસૂન સેશનમાં પસાર થઇ શકે છે.
ચિદમ્બરમે જણાવ્યું કે પાંચ ઓગસ્ટથી શરૂ થનારા મોનસૂન સત્રમાં અન્ન સુરક્ષા બિલ પર વટહુકમને સૌથી પહેલા રજૂ કરવામાં આવશે. ચિદમ્બરમે જણાવ્યું કે ભોજન ગેરન્ટી યોજના થકી કુપોષણને દૂર કરી શકાશે.












Click it and Unblock the Notifications
