જ્ઞાનવાપી મામલો: કાર્બન ડેટીંગની માંગને કોર્ટે ફગાવી, હવે આગળ શું થશે?
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કોર્ટના આદેશ પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન, હિંદુ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો કે મસ્જિદ પરિસરમાં એક શિવલિંગ મળી આવ્યું છે. જોકે મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો હતો. આ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કોર્ટના આદેશ પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન, હિંદુ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો કે મસ્જિદ પરિસરમાં એક શિવલિંગ મળી આવ્યું છે. જોકે મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો હતો. આ શિવલિંગની પ્રાચીનતા તપાસવા માટે હિન્દુ પક્ષે તેની કાર્બન ડેટિંગની માંગણી કરી હતી. આ મામલે સુનાવણી કર્યા બાદ વારાણસીની જિલ્લા અદાલતે શુક્રવારે 14 ઓક્ટોબરે પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં કાર્બન ડેટિંગની માંગને ફગાવી દેવામાં આવી હતી.
કોર્ટના નિર્ણયને હિન્દુ પક્ષ માટે આંચકો માનવામાં આવી રહ્યો છે. સાથે જ એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે કોર્ટના નિર્ણય બાદ હિન્દુ પક્ષ પાસે શું વિકલ્પો છે અને હવે આ મામલે આગળ શું થશે?.
હવે શું છે ઓપ્શન?
આ નિર્ણય જિલ્લા અદાલતમાંથી આવ્યો છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે. હિંદુ પક્ષના વકીલે આદેશ બાદ નિવેદનમાં પણ આવો જ સંકેત આપ્યો છે. એડવોકેટ મદન મોહન યાદવે કહ્યું કે જજે કાર્બન ડેટિંગની અમારી માંગને ફગાવી દીધી છે. અમે ઓર્ડરની નકલની રાહ જોઈ રહ્યા છીએ. અમારા માટે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે અને અમે હાઈકોર્ટ સમક્ષ પણ અમારી રજૂઆત કરીશું.
હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, "કોર્ટે કાર્બન ડેટિંગની અમારી માંગને ફગાવી દીધી છે. અમે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ત્યાં તેને પડકારીશું. હું હજુ તારીખ જાહેર કરી શકતો નથી." પરંતુ અમે ટૂંક સમયમાં જ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારો."
કોર્ટના નિર્ણયને હિન્દુ પક્ષ માટે આંચકો ગણાવવામાં આવી રહ્યો છે. આ મામલે હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા બીજા એડવોકેટ સુભાષ ચંદ્ર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે "કોઈ આંચકો નથી. અમે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વહેલામાં વહેલી તકે સ્થાપના કરવા માંગીએ છીએ, પછી તે 'શિવલિંગ' હોય કે કોઈ પણ ફુવારો. ડિસ્ટ્રિક્ટ કોર્ટે SCના આદેશનો ઉલ્લેખ કર્યો છે, તેથી અમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈશું અને આ આદેશને પડકારીશું."
હાઇકોર્ટ નહી પણ સિધા સુપ્રીમં કોર્ટ કેમ?
જિલ્લા અદાલતે તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના 17 મે, 2022ના આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કથિત શિવલિંગને સુરક્ષિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા અદાલતે નિર્ણયમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શિવલિંગને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. કાર્બન ડેટિંગ ઓર્ડર કરવાથી શિવલિંગને નુકસાન થઈ શકે છે, જે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે. આ સાથે કથિત શિવલિંગને નુકસાન થવાથી લોકોની ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી શકે છે.
શ્રૃંગાર ગૌરી કેસને અસર
જ્ઞાનવાપી કેમ્પસમાં મળી આવેલા શિવલિંગ કેસમાં હિન્દુ પક્ષની માંગને નકારી કાઢવાથી શ્રૃંગાર ગૌરી કેસ પર કોઈ અસર થશે નહીં. શ્રૃંગાર ગૌરી કેસમાં કોર્ટમાં સુનાવણી પહેલાની જેમ જ ચાલુ રહેશે. શુક્રવારે કોર્ટનો નિર્ણય કાર્બન ડેટિંગની માંગ સાથે જ આવ્યો છે.