ગોવા સીએમ મનોહર પાર્રિકરનું નિધન
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર, જે છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. રવિવારની સાંજે 63 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા છે.
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર, જે છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. રવિવારની સાંજે 63 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા છે. તેમણે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધો. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે મનોહર પાર્રિકરની હાલત ખુબ જ નાજુક છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. 63 વર્ષના મનોહર પર્રિકર સ્વાદુપિંડના રોગોથી પીડાતા હતા. તેઓ ડોના પોલામાં આવેલા પોતાના ઘરે રહેતા હતા.
ગંભીર બીમારી સાથે સંઘર્ષ હોવા છતાં, છેલ્લા કેટલાક મહિનાથી તેઓ મુખ્યમંત્રી તરીકેની તેમની જવાબદારી નિભાવતા હતા. નાકમાં ડીપ લગાવીને આવેલી તેમની ફોટો પણ સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.
ગયા વર્ષે, પાર્રિકરે યુએસમાં અદ્યતન સ્વાદુપિંડની બિમારી માટે ત્રણ મહિના સુધીની સારવાર લીધી હતી. રાજ્યની ગેરહાજરી દરમિયાન માર્ગદર્શન આપવા માટે તેમણે કેબિનેટ સલાહકાર સમિતિની રચના કરી હતી. પરત ફર્યા બાદ, પાર્રિકરે ગોવાના મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવી હતી.