મોદી પ્રશંસનીય પરંતુ ધર્મનિરપેક્ષતા જરૂરી: જગનમોહન
હૈદરાબાદ, 1 ઓક્ટોબર: હાલમાં જ 16 મહિના બાદ જામીન પર છૂટેલા વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ વાઇ.એસ. જગનમોહન રેડ્ડીએ સોમવારે મોદીના ભરપૂર વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની એક સારા વહીવટકર્તા તરીકે પ્રશંસા કરે છે, પરંતુ સાથે સાથે તેમણે મોદીને એવું પણ જણાવ્યું કે તેઓ મુસ્લીમોના દિમાગમાં અસુરક્ષા ફેલાવવાનું બંધ કરે. જગને જણાવ્યું કે આનાથી આંતરિક આતંકવાદને પ્રોત્સાહન મળે છે.
જગને પત્રકારોને જણાવ્યું કે 'જોકે મે એક વહિવટકર્તા તરીકે મોદીના વખાણ કર્યા છે, માટે હું તેમની પાસે રાષ્ટ્રહિતમાં સંપૂર્ણ વ્યવસ્થામાં ફેરફાર લાવવા તથા દેશને ધર્મનિરપેક્ષતાની સપાટી પર લાવવાની અપેક્ષા રાખું છું. નહીંતર તેમના મનમાં એટલી બધી અસુરક્ષા પેદા થઇ જશે કે આપણે દેશમાં આતંરિક આતંકવાદનો સામો કરવો પડશે.'

અમે ધર્મનિરપેક્ષ છીએ અને હંમેશા ધર્મનિરપેક્ષ બની રહેવા માટે પ્રતિબંધ છીએ.' યુપીએને સમર્થન આપવાના સવાલ પર જગનમોહને જણાવ્યું કે તેઓ એ જ નિર્ણય લેશે જે અન્ય ધર્મનિરપેક્ષ દળો કરશે.












Click it and Unblock the Notifications
