IMના આગામી ટાર્ગેટ દિલ્હી-મુંબઈ હોઈ શકે
બોધગયામાં બ્લાસ્ટ અને હૈદરાબાદમાં દિલસુખનગર બ્લાસ્ટ સહિત ધણી જગ્યાઓએ બ્લાસ્ટની યોજના અગાઉ ધડાઈ હતી. હૈદરાબાદ અને બૌદ્ધ મંદિરમાં બ્લાસ્ટ થયા બાદ હવે આઈએમના આગામી ટાર્ગેટ પૂછપરછમાં ખુલતાં તંત્રની નજર કેન્દ્રીત થઈ ગઈ છે.
બોધગયામાં બ્લાસ્ટ કરવામાં આતંકવાદી શખસો તેમના બીજા પ્રયાસમાં સફળ થયા છે. વર્ષ 2012માં બોધગયામાં હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. ઝડપાઈ ગયેલા ઇન્ડિય મુજાહીદ્દીનના શખસે હૈદરાબાદ અને બોધગયામાં હુમલા કરવાની યોજના અંગે પૂછપરછ દરમિયાન વાત કરી હતી. પરંતુ આ સંબંધમાં સાવધાની રાખવામાં આવી ન હતી.
ઇન્ડિયન મુજાહીદ્દીનની નજર હવે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો ઉપર છે. તેઓ હવે દિલ્હીના સદર બજાર અને ચાંદની ચોક પર હુમલો કરી શકે છે. કારણ કે આ બંને વિસ્તાર પણ ભરચક રહે છે. આ બંને જગ્યાઓએ બ્લાસ્ટ થવાની સ્થિતિમાં ભારે નુકસાન થઈ શકે છે.
આવી જ રીતે મુંબઈમાં આ સંગઠને અંધેરી સ્ટેશન ખાતે મેકડોનાલ્ડ હોટલ, સાડી સોપ, શાન્તાક્રુઝ સ્ટેશન નજીક ફાસ્ટ ફૂડની હોટલો, દાદર બસ સ્ટોપ, સીએસટી સ્ટેશન, પાનવેલ સ્ટેશન, બાંદ્રા અને જોગેશ્વરી ખાતેના સ્થળોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો ઉપર હમેશા લોકો રહે છી. આ તમામ સ્થળો ઉપર હુમલાની યોજનાને તૈયાર કરવામાં આવી હતી અને ભટકલ બંધુઓનો ટેકો મળ્યો હતો.