બોધગયા બ્લાસ્ટની મહત્વની કડીઓ મળી: શિંદે
તેમને આઇબી અને સીબીઆઇ વચ્ચે પરસ્પર વિરોધાભાસી ટિપ્પણીઓ વિશે કહ્યું હતું કે કેસની તપાસ કરવામાં આવી રહી છે અને સત્ય સામે આવી જશે. આ પહેલાં તેમને સુશીલ કુમાર શિંદેએ મહિલા બટાલિયન મુખ્યાલયની આધારશિલા રાખ્યા બાદ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે મહિલા બટાલિયન મુખ્યાલયની સ્થાપના પહેલાં બે વર્ષમાં 450 કરોડ રૂપિયા ખર્ચ થશે.
સુશીલ કુમાર શિંદે મહિલા બટાલિયનની સ્થાપનાથી આ વિસ્તારની મહિલાઓમાં જોશનો સંચાર થશે અને તે વધુને વધુ સેના માટે પ્રેરિત થશે. તેમને કહ્યું હતું કે સીઆરપીએફમાં મહિલા બટાલિયનની સ્થાપનાનો શ્રેય તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને જાય છે, જેમને 1988માં નારી સશક્તિકરણનું સપનું જોયું હતું.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે રાજસ્થાન વીર પ્રસૂતા ભૂમિ માનવામાં આવે છે અને અહીં દરેક વ્યક્તિમાં જોશ ભરેલો છે. જ્યારે પણ દેશ પર સંકટ આવે છે કે આ પ્રદેશના વીર સપૂતોએ અગ્રણી ભૂમિકા નિભાવી છે. કેન્દ્રિય યુવા તથા રમતગમત મંત્રી ભંવર જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે એનસીઆર વિસ્તારમાં હોવાથી અલવરમાં વિકાસની વિપુલ સંભાવનાઓ છે અને આ જિલ્લો મુખ્યમંત્રીના સહયોગથી વિકાસની નવી ઉંચાઇ સ્થાપિત કરી રહ્યો છે.