ભારત - ચીન વાર્તા સફળ; ચીન વિકાસમાં ભારતને મદદ કરવા તૈયાર
નવી દિલ્હી, 8 જૂન : ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ વચ્ચે દિલ્હીમાં વાતચીત યોજાઇ હતી. ભારતના વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આ વાર્તા સફળ રહી છે. ભારતના વિકાસ માટે ચીન મદદ કરવા માટે તૈયાર છે.
મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે 'ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક ફળદાયી, ઉપયોગી અને મહત્વની રહી છે. સ્પષ્ટ અને સહયોગની દિશામાં બંને દેશોના પ્રતિનિધિઓએ મહત્વના તમામ મુદ્દાઓ ઉઠાવ્યા હતી અને તેના પર સ્પષ્ટ ચર્ચા કરી હતી.' જો કે અકબરુદ્દેની બંને દેશો વચ્ચે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઇ તે અંગે કોઇ વાત કરી ન હતી.

બેઠકમાં ભારતમાં ચીનના રોકાણ અને વિકાસને માટે જરૂરી સહયોગ આપવા માટે સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું હતું. તેમાં માનસરોવર યાત્રાને વધારે સરળ બનાવવા અંગે પણ ચર્ચા થઇ હતી. આ મુદ્દે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વધારે વાતચીત કરવાના છે. ચીનના વિદેશ પ્રધાન સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવાના છે.
જો કે વાંગ લીની ભારત મુલાકાત દરમિયાન તિબેટિયનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વાંગ લીને મળે ત્યારે ચીન સાથે તિબેટનો મુદ્દે ચોક્કસ ચર્ચા કરે.
આ વિરોધ પ્રદર્શન ઉત્તરદિલ્હીના મજનુ કા ટિલા વિસ્તારમાં થયું હતું. જેમાં મોટી સંખ્યામાં તિબેટિયનો હાજર રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ ચીન વિરોધી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ ઉપરાંત તેમણે ચીન વિરોધી પોસ્ટર્સ પણ પ્રદર્શિત કર્યા હતા. આ પ્રદર્શનમાં 100થી વધારે તિબેટિયનો જોડાયા હતા.
વાંગ યી તેમના દેશના પ્રમુખ શી જિંગપિંગના ખાસ દૂત તરીકે અહીં આવ્યા છે. ગયા મહિને ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન અને પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના સ્પષ્ટ સંકેતો આપી દીધા છે.
મોદીએ ચીની પ્રમુખ શીને આ વર્ષના અંત ભાગમાં ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. આજે સુષ્મા સ્વરાજને મળીને વાંગ યીએ બંને દેશ વચ્ચેના વેપાર તથા સીમા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
