કેરળમાંથી ગુમ થયેલા 21 લોકો ISISની ટ્રેનિંગ બાદ ભારત પર કરશે હુમલો
કેરળમાંથી ગુમ થયેલા 21 લોકો અને ISIS અંગે ગુપ્તચર વિભાગને મળી આ ચોંકવનારી માહિતી.
ગઇ કાલે ખબર આવ્યા હતા કે, કેરળમાંથી જૂન-જુલાઇ 2016માં ગુમ થયેલા 21 લોકોએ આઇએસઆઇએસ જોઇન કર્યું છે. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સિના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જૂન અને જુલાઇના માસના જુદા-જુદા ગાળાઓમાં ગુમ થયેલા 21 વ્યક્તિઓને અફઘાનિસ્તાનના જલાલાબાદમાં ઇસ્લામિક સ્ટેટ કેમ્પમાં જોડવામાં આવ્યા હતા. સૂત્રોએ વનઇન્ડિયાને આપેલી જાણકારી અનુસાર આઇએસઆઇએસ જલાલાબાદમાં પણ કેમ્પ ચલાવે છે અને આ લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હવે માહિતી મળી છે કે આ 21 લોકોને જલ્દી ફરીથી ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

ભારતમાં થશે લોન્ચ
આઇબી એ ગુરૂવારે ફોરેન એજન્સિની મદદથી આ 21 લોકોને ટ્રેક કરતાં તેઓ જલાલાબાદના આઇએસઆઇએસ કેમ્પમાં હોવાની જાણકારી મળી હતી. હવે ખબર આવ્યા છે કે આ 21 લોકોનું જૂથ, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમને ટ્રેનિંગ પૂરી થયા પછી ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના ઓફિસરે જણાવ્યું હતું કે, અમે આ બાબતે ચાંપતી નજર રાખી રહ્યાં છીએ.
ભારત પર હુમલો કરવાની અપાઇ રહી છે ટ્રેનિંગ
પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં આઇએસઆઇએસનું વધુ મજબૂત મોડ્યૂલ સેટ કરવા માટે આ લોકોને ટ્રેન કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તાજેતરની જાણકારી અનુસાર તેમને ભારતમાં હુમલો કરવાની ટ્રેનિંગ અપાઇ રહી છે.
આવી ઘટનાઓ હજુ પણ બની રહી હોવાની શક્યતાને નકારતાં અધિકારીએ કહ્યું હતું કે, એવી કોઇ શક્યતા નથી કે કોઇ વ્યક્તિ ભારતમાંથી ગાયબ થાય અને ત્યાંથી અફઘાનિસ્તાનના આવા કોઇ ટ્રેનિંગ કેમ્પમાં પહોંચે. આ લોકો પહેલા ઇરાન કે કોઇ બીજા ગલ્ફ દેશોમાં થઇને અફઘાનિસ્તાન પહોંચ્યા હોઇ શકે.
અહીં વાંચો - ઢાકા કાફેમાં ખૂની ખેલ રમનાર આતંકીની પોલીસ અથડામણમાં મોત
એવી પણ સૂચના મળી હતી કે, બાંગ્લાદેશ અને માલદિવ્સમાં પણ કેટલાક લોકો આ જલાલાબાદ કેમ્પ માટે કામ કરી રહ્યાં છે. ભારતીય અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમે અફઘાનિસ્તાનના અમારા સૂત્રોની મદદથી આ બાબત પર ચાંપતી નજર રાખવાની સાથે જ તેમને પકડવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ.
અંતિમ મુકામ
નોંધનીય છે કે, વર્ષ 2016માં ગુમ થઇ ગયા બાદ તેમણે પોતાના પરિવારજનોને ફોન કરીને કહ્યું હતું કે, તેઓ તેમના અંતિમ મુકામે પહોંચી ગયા છે. આ ખબર બાદ કેરળ પોલીસે અનુમાન લગાવ્યું હતું કે, તેમે સિરિયામાં આઇએસઆઇએસ માં જોડાયા છે. જો કે, ત્યારબાદ ઇન્ટેલિજન્સ તરફથી આ લોકો અફઘાનિસ્તાનમાં હોવાનું ધ્યાનમાં આવતા ભારતીય એજન્સિઓએ અફઘાનિસ્તાનના પોતાના સૂત્રોની મદદ લીધી હતી. મહિનાઓ સુધી આ લોકોને ટ્રેક કરવાના પ્રયાસો થયા બાદ હવે અંતે જાણકારી મળી છે કે આ લોકોને હાલ જલાલાબાદના કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
-
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
