ભારતમાં મંદિરો કરતા ટોયલેટની વધુ જરૂર: જયરામ રમેશ

Jairam Ramesh
નવી દિલ્હી, 5 ઓક્ટોબર: કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી જયરામ રમેશ એકવાર ફરી વિવાદોમાં ફસાઇ ગયા છે. તેમણે ફરી એક ભાષણમાં જણાવ્યું હતું કે ભારતમાં મંદિરો કરતા વધારે ટોયલેટની જરૂર છે.

તેમણે દેશમાં ટોયલેટની જરૂરીયાત વધારે બતાવી તેની તુલના મંદિરો સાથે કરી દીધી છે, જેનાથી ભાજપની લાગણીને ઠેસ પહોંચવાની જ હતી. ભાજપે જયરામ રમેશને આ અશોભનીય ટીપ્પણી માટે માફી માગવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયરામ રમેશે શૌચાલયવાળુ નિવેદન ભારત નિર્મલ યાત્રાના ઇનોગ્રેશન વખતે કર્યું હતું. જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘આજે પણ ભારતના 64 ટકા લોકો ખુલ્લામાં ટોયલેટ જાય છે જે ખુબ જ દુ:ખની વાત છે. મને એ કહેતા દુ:ખ થઇ રહ્યું છે કે આ એક ગ્લોબલ રેકોર્ડ છે.'

સાથે સાથે પોતાની સરકારના ગુણગાન કરતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘ ગામડાઓમાં શૌચાલયના નિર્માણ માટે સરકારે પાંચ વર્ષોમાં 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. આવનાર વર્ષોમાં સરકાર 1.08 લોખ કરોડનો ખર્ચ કરવાની છે જેનાથી દેશને સ્વચ્છ બનાવી શકાય.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X