જમ્મુ-કાશ્મીર : કુલગામના મુનંદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામના મુનંદમાં 25 જુલાઈની સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર મુનંદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામના મુનંદમાં 25 જુલાઈની સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર મુનંદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.
હાલ પોલીસ અને સુરક્ષાકર્મીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજૂ સુધી મૃતક આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. આ સાથે આસપાસના વિસ્તારમાં એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા મુનંદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો
પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા મુનંદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ગુપ્તચર વિભાગ દ્વારા પોલીસ અને સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી આપવામાં આવી હતી. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે ઇનપુટ્સ મેળવ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓ છૂપાયેલા તે સ્થળે સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચો ગોળીબાર શરૂ થયો હતો.
પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
શનિવાર (24 જુલાઇ)ના રોજ બાંદીપોરાના શોકબાબા સુમલર-અરાગામના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં પણ પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ હાથ ધરવામાં આવ્યું હતું.