કોંગ્રેસે ભાજપ પાસેથી શિખ્યો સફળતાનો મંત્ર
બેંગ્લોર, 12 માર્ચઃ કર્ણાટકમાં સત્તાધીશ દળ ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક ચૂંટણીમાં કારમા પરાજયના પડઘા દિલ્હી સુધી પડ્યાં છે. કોંગ્રેસની અપ્રત્યાશિત જીતથી ભાજપના ઘણા મોટા નેતાઓ તણાવમાં આવી ગયા છે, પરંતુ શું તમને ખબર છે કે, કોંગ્રેસે આ સફળતાનો મંત્ર કોની પાસેથી શીખ્યો છે? અરે ભાજપ પાસેથી! જી હાં, અને એ મંત્ર છે હિન્દુત્વનો.
કર્ણાટકે
કુલ
207
સ્થાનિક
ચૂંટણીની
4952
બેઠકો
માટે
થયેલા
મતદાનની
ગુરુવારે
થયેલી
મતગણતરીમાં
1959
બેઠકો
પર
જીત
હાંસલ
કરીને
કોંગ્રેસ
સૌથી
મોટી
પાર્ટી
તરીકે
ઉભરી.
ભાજપને
કુલ
906
બેઠકો
મળી.
બીજી
તરફ
પૂર્વ
પ્રધાનમંત્રી
એચડી
દેવગૌડાની
જનતાદળ-સેક્યુલર(જેડી-એસ)ને
905
બેઠકો
પર
વિજય
મળ્યો.
ભાજપની
હારનું
કારણ
બધા
જાણે
છે.
ખાસ બાત એ છે કે કોંગ્રેસે આ તકને અવસરમાં પરિવર્તિત કરવામાં એક પણ કસર છોડી નહી. કોંગ્રેસની જનતા વચ્ચે વિશ્વાસ જાળવી રાખવા માટે ભાજપનો જ મંત્ર ફૂંક્યો અને એ હતો હિન્દુત્વવાદી મંત્ર. ગત બે વર્ષોથી જેટલા પણ પર્વ થયા, તેમાં કોંગ્રેસે હિન્દુઓને આકર્ષિત કરવા અથવા તો શુભેચ્છા આપવામાં કોઇ કસર છોડી નહી. બેંગ્લોરની વાત કરીએ તો દરેક પર્વએ અહીં યશવંતપુરથી લઇને મલ્લેશ્વરમ સુધી, જેપી નગરથી લઇને જયાનગર સુધી પોસ્ટર્સથી માર્ગો ભરી દેવામાં આવતા.
જે કામ ભાજપ અટલ બિહારી વાજપાયીના જન્મદિવસે કરતું હતું, તે કામ કોંગ્રેસે અયુધા પુજા, દિવાળી, મકર સંક્રાન્તિ, પોંગલ વગેરેમાં કર્યું. એટલું જ નહીં સ્થાનિક ચૂંટણી પછી પણ શિવરાત્રીના પાવન અવસરે પણ કોંગ્રેસ તક છોડી નહી. કર્ણાટકમાં તમે કોંગ્રેસના પોસ્ટર્સ પર ભગવાનની છબી સહેલાયથી જોઇ શકો છો. એવી જ રીતે જેમ ભાજપના પોસ્ટર્સ પર જોવા મળતું હતું.
સમાચાર એ છે કે કોંગ્રેસની આ મુહિમ હજુ વિધાનસભા ચૂંટણી કે પછી લોકસભા ચૂંટણી 2014 સુધી જારી રહેશે, કારણ કે કર્ણાટકમાં કબજો કરવા માટે કોંગ્રેસ પાસે આનાથી સારી તક નજીકમાં નહીં આવે.