નિપાહ વાયરસનો ડર, કર્ણાટક સરકારે જાહેર કરી એડવાઈઝરી
કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે.
બેંગલુરુઃ કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે. જો કે હજુ સુધી માત્ર કેરળમાં જ નિપાહ વાયરસના કેસ મળ્યા છે પરંતુ અન્ય રાજ્યોએ પણ સાવચેતી તરીકે પગલાં લેવાનુ શરૂ કરી દીધુ છે. આને લઈને કર્ણાટક સરકારે મંગળવારે પોતાના નાગરિકો માટે નિપાહ વાયરસથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કેરળની સીમા પાસેના જિલ્લાઓમાં સ્થાનિક લોકો અને અધિકારીઓને વધુ સાવચેતી રાખવા માટે કહ્યુ છે.

તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસના કારણે કેરળના કોઝીકોડમાં એક 12 વર્ષના બાળકનુ મોત થઈ ચૂક્યુ છે. વળી, અમુક અન્ય આરોગ્યકર્મીઓના પણ સંક્રમિત થયાના સમાચાર છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કહ્યુ છે કે બધા જિલ્લાઓના ડીએમ કેરળથી કર્ણાટક આવતા લોકોમાં તાવ, ગંભીર નબળાઈ, માથામાં દુઃખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, ખાંસી, ઉલટી, માંસપેશીઓમાં દુઃખાવો અને પેટમાં સમસ્યા જેવા લક્ષણોનુ નિરીક્ષણ કરવા માટે ટીમ બનાવો. આ સાથે જ જિલ્લા અધિકારીઓને એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે નિપાહ વાયરસના પ્રકોપથી જલ્દીમાં જલ્દી ચકાસવા માટે એક સર્વિલાંસ સિસ્ટમ પણ બનાવવામાં આવે.
લોકો વચ્ચે ફેલાવો જાગૃકતા
કર્ણાટક સરકારે આરોગ્ય અધિકારીઓ અને બધા જિલ્લાના ડીએમને નિર્દેશ આપીને કહ્યુ છે કે નિપાહ વાયરસથી બચાવ માટે લોકોમાં જાગૃકતા ફેલાવવામાં આવે. સાથે જ જો કોઈ દર્દીમાં નિપાહ વાયરસ સાથે સંબંધિત લક્ષણો મળે તો જરૂરી સાવચેતી રાખીને સેમ્પલ લઈને પૂણેની એનઆઈવી લેબ મોકલો.
શું છે નિપાહ વાયરસના લક્ષણ
ઉલ્લેખનીય છે કે નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં પણ અમુક લક્ષણો કોરોના વાયરસ જેવા જ હોય છે. નિપાહ વાયરસથી સંક્રમિત થવા પર ખાંસી, ગળામાં ખારાશ, ચક્કર આવવા, માંસપેશીઓમાં દુઃખાવો, થાક, માથામાં દુઃખાવો, ગરદનમાં અકડ અને તાવ આવે છે. જો કે એક રાહતની વાત એ છે કે કેરળ સિવાય હજુ સુધી કોઈ રાજ્યમાં નિપાહ વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી.
કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે. જો કે હજુ સુધી માત્ર કેરળમાં જ નિપાહ વાયરસના કેસ મળ્યા છે પરંતુ અન્ય રાજ્યોએ પણ સાવચેતી તરીકે પગલાં લેવાનુ શરૂ કરી દીધુ છે. આને લઈને કર્ણાટક સરકારે મંગળવારે પોતાના નાગરિકો માટે નિપાહ વાયરસથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કેરળની સીમા પાસેના જિલ્લાઓમાં સ્થાનિક લોકો અને અધિકારીઓને વધુ સાવચેતી રાખવા માટે કહ્યુ છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
