કેજરીવાલની પાર્ટીનું નામ 'આમ આદમી પાર્ટી' રહેશે
ટીમ અણ્ણાના પૂર્વ સભ્ય કેજરીવાલે શુક્રવારે ટ્વિટર પર લખ્યું હતું કે તેઓ શનિવારે પોતાની પાર્ટીનું ગઠન કરશે અને સોમવારે જંતર મંતર ખાતે તેની ઔપચારિક જાહેરાત કરશે.
તેમણે લખ્યું છે કે 'પાર્ટી આવતીકાલે ગઠિત કરવામાં આવશે. રાષ્ટ્રીય પરિષદની પ્રથમ બેઠક પણ આવતીકાલે થશે. સોમવારે જંતરમંતર પર તેની જાહેરાત થશે. સોમવારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે બધાને આમંત્રિત કરવામાં આવ્યા છે.'
તેમના એક સાથીએ જણાવ્યું કે કોન્સ્ટીટ્યુશન ક્લબમાં બેઠક માટે લગભગ 300 લોકો ભેગા થયા છે. કેજરીવાલે ટ્વિટ કર્યું કે અમે સામાન્ય માણસ માટે સંપૂર્ણ આઝાદી તેમજ મોંઘવારીમાં રાહત લઇ આવીશું.
તેમણે લખ્યું હતું કે 'હું સામાન્ય માણસ છું..હું પૂર્ણ આઝાદી લઇશ.' જ્યારે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે 'હું છું સામાન્ય મહિલા હું દૂર કરીશ મોંઘવારી..' તેમજ વધુ એક ટ્વિટમાં લખ્યું કે 'હું છું સામાન્ય માણસ.. હું લઇશ સ્વરાજ'.
કેજરીવાલની પાર્ટીનું સમર્થન કરશે ટીમ અણ્ણા