કેરન ઓપરેશન પૂર્ણ; 8 આતંકીઓના શબ મેળવાયા : સેના
શ્રીનગર, 8 ઓક્ટોબર : ભારતીય ભૂમિદળના સેનાધ્યક્ષ જનરલ બિક્રમજીત સિંહે આજે જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં કેરન ઓપરેશન પૂરું થયું છે. આ સેક્ટરમાં એક ષડયંત્ર હેઠળ ઘૂસણખોરી કરવામાં આવી હતી. આ ષડયંત્ર સીમા પાર એટલે કે પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે કોઇ પ્રકારની મદદ વગર આતંકવાદીઓ આ રીતે ઘૂષણખોરી કરી શકવા સક્ષમ નથી. આ ઘૂસણખોરીમાં પાકિસ્તાનની સેનાનો હાથ છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ 8 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને તેમના મૃતદેહો મળી આવ્યા છે.
છેલ્લા 15 દિવસથી કેરન સેક્ટરમાં ચાલી રહેલી આ અથડામણ અંગે ભારતીય સેના દ્વારા શ્રીનગરમાં પ્રેસ કોન્ફરેન્સમાં માહિતી આપતા જણાવાયું કે આ ઘર્ષણમાં 8 આતંકાવાદીઓના મૃતદેહ મળ્યા છે. આતંકવાદીઓને હાંકી કાઢવા સેના દ્વારા 6 ઓપરેશન કરાયા હતા. આતંકવાદીઓ પાસેથી સેનાને 13 એકે47, ચાર ડિસ્પોઝિબલ રાયફલો, એક સ્પાઇનર અને 42 હાથગોળા સહિત મોટા પ્રમાણમાં દારુગોળો મળી આવ્યો છે.

લશ્કરના ઉપરી અધિકારી લેફ્ટનન્ટ જનરલ સંજીવ ચાચડાના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ એકેય ભારતીય ચોકી પર કબ્જો જમાવ્યો નથી. જોકે કેરનમાં આતંકવાદીઓની ઘૂષણખોરી અટકી નથી. ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘૂષણખોરી અંગે પાકિસ્તાની સેના સભાન રીતે કામ કરી રહી છે.
આતંકવાદી પાસેથી મળેલા મોટાભાગના હથિયારો પાકિસ્તાની બનાવટના છે. આ મુદ્દે સોમવારે વડાપ્રધાને જાતે જ લશ્કરની ત્રણેય પાંખના વડાઓ સાથે મુલાકાત કરી હતી અને માહિતી મેળવી. 12000 ફૂટથી વધુ ઉંચાઈએ હાથ ધરાયેલ આ આપરેશન માટે સ્પેશિયલ પેરા કમાન્ડોની મદદથી પાર પાડ્યું છે.
20 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન લશ્કર એ તૈયાબાના પ્રમુખ હાફિઝ સઇદે પાક અધિકૃત કાશ્મીરની નિલમ ઘાટી, મુઝફ્ફરાબાદના મીરાપુર અને કોટલીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભારતીય સેના પૂંચ સેક્ટરમાં થઈ રહેલા ઘૂષણખોરી અને ગોળીબારની ઘટનાઓમાં ફસાયેલી હોઈ આ અંગે ધ્યાન ન જતા આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
