કડક ઓફિસર છે નવા સીબીઆઇ ચીફ અનિલ સિન્હા
નવી દિલ્હી(વિવેક શુક્લા), સીબીઆઇના નવા ચીફ અનિલ કુમાર સિન્હાને ઓળખનારા માને છે કે તેઓ દબાવમાં આવનારા ઓફિસરોમાંના નથી. તેઓ ખૂબ જ ઇમાનદાર છે અને અને દિવસ રાત કામ કરનારા છે. તેમના માટે એક વાર ઓફિસમાં આવ્યા બાદ ઘરે જવાનો કોઇ સમય નથી હોતો.
બિહારના એક વરિષ્ઠ પત્રકારે જણાવ્યું કે બિહાર કૈડરના સિન્હા જ્યારે બિહારમાં હતા, ત્યારે ઘણા નેતા તેમની પાસે તેમના લોકોની વકાલત કરવા જતા હતા, ત્યારે સિન્હાનો એક જ જવાબ રહેતો કે કાયદો પોતાનું કામ કરશે, તેઓ કંઇ ના કરી શકે.
તટસ્થ ઓફિસર
સિન્હા અંગે કહેવાય છે કે તેઓ ખૂબ જ તટસ્થ પ્રકારના ઓફિસર છે. તેઓ કોઇ કેમ્પ સાથે નથી જોડાતા. તેમના જીવનનું લક્ષ્ય માત્ર કામ કરવાનું છે. સંગીતમાં રસ ધરાવતા સિન્હા શાંત સ્વભાવના છે. તેઓ બિહારના ઘણા જિલ્લાઓમાં મહત્વના પદો પર રહ્યા છે.

તેમણે કેન્દ્રીય તપાસ બ્યૂરોના નવા નિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળી લીધું છે. તેમને મંગળવારે સીબીઆઇના નવા નર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા હતા. બિહાર કેડરના 1979 બેચના અધિકારી અનિલ કુમાર સિન્હા સીબીઆઇમાં વિશેષ નિર્દેશક હતા. રંજીત સિન્હા સીબીઆઇના નિર્દેશક પદથી ગઇકાલે સેવાનિવૃત્ત થઇ ગયા.
વડાપ્રધાન રહેઠાણ પર તેમની નિમણૂંકના સિલસિલામાં ત્રણ સભ્યોવાળી સમિતિની બેઠળ મળી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એચ.એલ. દત્તૂ અને લોકસભામાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે હાજર હતા.
આપને યાદ હશે કે પૂર્વ નિર્દેશક રંજીત સિન્હાને કોલસા કૌભાંડ અને ટૂજી સ્પેક્ટ્રમમાં સુપ્રીમ કોર્ટની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે રંજીત સિન્હાને ટૂજી સ્પેક્ટ્રમ મામલાની તપાસથી દૂર રહેવા જણાવ્યું હતું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
