લાલુ યાદવ અને શરદ યાદવ એઇમ્સમાં દાખલ
નવી દિલ્હી, 21 ડિસેમ્બર: બ્લડ પ્રેશર વધવાને કારણે લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી છે, જ્યારે જેડીયૂના અધ્યક્ષ શરદ યાદવને ડાયાબિટીશની બિમારી હોવાના કારણે તેમને પણ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવની તપાસ કાર્ડિયો થોરાસિસ સેન્ટરમાં કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં હાલમાં જ જામીન મળ્યા છે. તેમને આ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ડોક્ટરોનું કહેવું છે કે જેડીયૂના નેતા શરદ યાદવનું બ્લડ શુગર વધી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાલુના આવવાથી મુસ્લિમ વોટ બેંકનો લાભ રાજદને મળી શકે છે. જોકે બિહારની જનતા કઇ પાર્ટીને સ્વીકારે છે એ તો સમય જ નક્કી કરશે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
