President Election 2022 : જાણો કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી, કોણ આપે છે વોટ?
નવી દિલ્હી, 09 જૂન : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કોવિંદનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે.
નવી દિલ્હી, 09 જૂન : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કોવિંદનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. અગાઉ 17 જુલાઈ 2017 ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, ત્યારબાદ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જાણો કેવી રીતે થાય છે ચૂંટણી અને કોને વોટ?
તમને જણાવી દઈએ કે ભારતના વડા અને ભારતના પ્રથમ નાગરિક પણ હોય છે. ભારતીય બંધારણની કલમ 52 જણાવે છે કે ભારતના એક રાષ્ટ્રપતિ હશે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે, જે ભારતના 14મા રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામાન્ય લોકો ભાગ લેતા નથી. આ ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ નામની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવે છે. જેમાં સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ હેઠળ, એક મતદાર માત્ર એક જ મત આપે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 1971ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની વસ્તીના પ્રમાણમાં ગણવામાં આવે છે. ઇલેક્ટોરલ કૉલેજમાં રાષ્ટ્રપતિને ચૂંટવા માટે 5,49,442 મતનું મૂલ્ય પૂરતું છે. ઈલેક્ટોરલ કોલેજમાં 4,896 ધારાસભ્યો છે. તેમાં 776 લોકસભા અને રાજ્યસભા સભ્યો અને 4,120 ધારાસભ્યો સામેલ છે. જો કે આ વખતે આ સંખ્યા 4,809 હશે, તેની પાછળનું કારણ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં એક પણ ધાાસભ્ય નથી, જ્યાં પહેલા 87 ધારાસભ્યો હતા. નામાંકિત સભ્યો અને MLC મત આપવા માટે પાત્ર નથી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ઉથલપાથલને કારણે જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યના મતનું મૂલ્ય 708 થી ઘટીને 700 થઈ શકે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદના મતનું મૂલ્ય દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર સહિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પર આધારિત છે. ઈલેક્ટોરલ કોલેજમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકસભા, રાજ્યસભા અને દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર સહિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યોનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2019 માં લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થતાં પહેલાં અગાઉના રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં 83 વિધાનસભા બેઠકો હતી. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અનુસાર, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં એક વિધાનસભા હશે, જ્યારે લદ્દાખ પર સીધું કેન્દ્રનું શાસન હશે. ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના ઉમેદવારો ઉભા કરશે. વિપક્ષે હજુ સુધી રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત ઉમેદવારની જાહેરાત કરી નથી. ભાજપ પાસે તમામ ધારાસભ્યો અને સાંસદોના વોટ શેરના 48.9 ટકા છે. વિપક્ષ અને અન્ય પક્ષો પાસે 51.1 ટકા છે. બીજેપીને તેનો ઉમેદવાર પસંદ કરવા માટે બીજેડી અથવા વાયએસઆર કોંગ્રેસના મતની જરૂર પડશે.
રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોના મતનું મૂલ્ય ચૂંટણી પહેલા ઉમેરવામાં આવે છે. આ કુલ મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. ભાગ્યા પછી જે નંબર આવે છે તે સાંસદના મતનું મૂલ્ય છે.