કોંગ્રેસે આપ્યા સંકેતઃ રિપીટ થઇ શકે છે સોનિયા-મનમોહન મોડલ!

દ્વિવેદીના આ નિવેદનના બે અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. પહેલું એ કે પાર્ટી 014ની ચૂંટણી જીત્યા પછી પણ ફરી એકવાર મનમોહન સિંહને જ પ્રધાનમંત્રી પદ પર યથાવત રાખી શકાય છે. મનમોહન સિંહે થોડા દિવસ પહેલા જ મીડિયા સાથે વાતચીતમાં પહેલીવાર આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું હતું અને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે જો ત્રીજી વખત તેમની તાજપોશીની વાત આવશે તો તે વિચાર કરશે. મનમોહન બાદ હવે કોંગ્રેસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભવિષ્યમાં પણ સોનિયા અને મનમોહનના મોડલને રિપીટ કરવામાં આવી શકે છે.
જો કે, દ્વિવેદીના નિવેદનનો એક અર્થ એ પણ કાઢવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં રાહુલ ગાંધી કામ કરે અને પીએમની ખુરશી પર મનમોહનની જેમ રાહુલ ગાંધીના કોઇ વિશ્વસનીયને બેસાડવામાં આવે. રાહુલ ગાંધી જાતે જ કહીં ચૂક્યા છે કે પીએમ બનવામાં તેમને કોઇ રસ નથી. એટલું જ નહીં તેમણે એ નેતાઓને પણ ચૂપકિદી સેવી લેવા કહ્યું હતું, જે વારંવાર તેમની પીએમ પદની દાવેદારી અંગે નિવેદન આપી રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
