'મૌન' મોહન સિંહ-સોનિયા મોંઘવારના મુદ્દે મૌન કેમ?: મોદી

મંડીની સભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું હિમાચલ પ્રદેશ આવ-જાઉં છું, મને લાગે છે ગુજરાત બાદ આ મારું બીજું ઘર છે. મેં ઘણા વર્ષો સુધી તમારી વચ્ચે કામ કર્યું છે. હું હિમાચલના ખુણે-ખુણેથી પરિચિત છું, મંડીમાં આવતાંની સાથે જ મેં પૂછ્યું હતું કે આજે પણ અહીં ચીકૂબુડી ખાવામાં આવે છે કે નહી. આટલો ગાઢ લગાવ મને હિમાચલ પ્રદેશ સાથે છે.
જો ગુજરાતમાં ચૂંટણીઓ ના હોત તો હું અહીંયા થોડા દિવસો માટે રોકાઇ જાત અને જૂની યાદોને તાજી કરતો. પરંતુ તમે જેમ કોંગ્રેસને ઉઘાડ નાખવામાં લાગ્યાં છો તેમ ગુજરાતાની જનતા પણ કોંગ્રેસ સરકારને હંમેશા માટે વિદાય આપવામાં લાગી છે.
હિમાચલ પ્રદેશમાં સરકાર સ્થિર ન રહેતી હોવાથી અહીં વિકાસ થતો નથી. આ દેવભુમીને હું પ્રાર્થના કરવા આવ્યો છું કે તમે પણ ગુજરાતની જેમ રાજકીય સ્થિરતા લાવો. ભાજપની સરકારને ફરીથી ચૂંટી લાવો. જેનાથી હિમાચલ પણ ગુજરાત જેવો વિકાસ સાધશે.
સલમાન ખુર્શીદ પર ટિપ્પણી કરતાં મોદીએ કહ્યું હતું કે ખુર્શીદ છે કે કુર્સી ખબર પડતી નથી. વિકલાંગોના પૈસા ચાઉં કરી લેવાના આરોપોના મુદ્દે તપાસ અને રાજીનામું લેવાની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું કોંગ્રેસની નિતિ છે કે ગુના અને બેમાની કરો અને પ્રમોશન મેળવો
કોંગ્રેસના એક મંત્રીની પચાસ કરોડની ગર્લફ્રેન્ડનો મુદ્દો ઉઠ્યો હતો, પરંતુ તેમને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. હિમાચલ સાથે શું થયું. કેન્દ્રના એક મંત્રી વિરુદ્ધ હાઇકોર્ટમાં અવાજ ઉઠ્યો તો વીરભદ્ર સિંહનું રાજીનામું લઇ લીધું. ત્યાંથી રાજીનામું લીધું અને અહીં આખું હિમાચલ તેમના હવાલે કરી દીધું. આ જ કોંગ્રેસના નીતિ-નિયમો છે. હું હેરાન છું કે કોંગ્રેસ કેવા પ્રકારની સંસ્કૃતિ લાગૂ કરવા માંગે છે. આવી પાર્ટીને દેશ શા માટે સહન કરે.
હમણા એક સ્ટીલ કંપની પર ઇન્કમટેક્સના દરોડા પડ્યા. મળેલી નોટો પર હતું વીબીએસ. કોંગ્રેસે કહી દીધું કે, વીબીએસ એટલે, વીર ભ્રષ્ટ સિંહ છે, વીરભદ્ર સિંહ નથી. કોંગ્રેસને લોકલાજની જરા પણ પડી નથી. કોઇએ એકાદ-બે ભ્રષ્ટાચાર કર્યા હોય તો આ દેશ તેને ઠીક કરવાની શક્તિ ધરાવે છે પરંતુ સર્વોચ્ચ સ્થાન પર ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની જાય, બેજવાબદારી અને અનદેખુ કરવાનો સ્વભાવ બનાવવામાં આવે તો દેશ અત્યંત ઉંડા સંકટમાં ઘેરાઇ જાય છે. તેથી કોંગ્રેસથી ડરવાની જરૂર છે. કોંગ્રેસનું ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાનો મુખ્ય મુદ્દો છે. તેનાથી દેશ કેટલો બરબાદ થશે, તેનો અંદાજો લગાવી શકાય છે.
મોદીએ કહ્યું કે, ભારત સંઘીય ઢાંચો છે. રાજ્યોનો સમૂહ છે, પરંતુ જ્યાં-જ્યાં ભાજપની સરકાર છે, ત્યાં ત્યાં હેરાન કરવામાં, તેને નિષ્ફળ સાબિત કરવા ષડયંત્રો રચવામાં, વિકાસમાં અવરોધ નાંખવો એ કોંગ્રેસની યુપીએ સરકારનું ચરિત્ર બની ગયું છે. મીડિયાએ યુપીએ સરકારના ચરિત્રનું વિશ્લેષણ કરવું જોઇએ.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
