For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી 2002ના રમખાણો માટે માફી નહીં માંગે : રાજનાથ

|
Google Oneindia Gujarati News

rajnath-singh
નવી દિલ્હી, 14 એપ્રિલ : આજે નરેન્દ્ર મોદી અને ગુજરાતના વર્ષ 2002ના રમખાણોનો મુદ્દો ફરી રાજકીય ચોરે ઉઠ્યો હતો. ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માફી માગે એવી શક્યતાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજનાથ સિંહે નકારી કાઢી હતી.

સીએનએન - આઈબીએન ચેનલ પર કરણ થાપરને તેમના ટીવી શૉ ‘ડેવિલ્સ એડવોકેટ'માં જવાબ આપતાં રાજનાથ સિંહે કહ્યું કે રાજીવ ગાંધીએ ભૂતકાળમાં કરેલી અમુક કમેન્ટને કારણે સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહે 1984નાં શીખ-વિરોધી રમખાણો માટે માફી માગવી પડી હતી.

જ્યારે કરણ થાપરે સવાલ કર્યો કે, ‘વડા પ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ તો 1984ની ઘટનાઓ માટે માફી માગી છે. મોદીએ 2002 માટે ખેદ પણ વ્યક્ત કર્યો નથી. એટલું જ નહીં, એક વાર એમને જ્યારે એ મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે એ ઈન્ટરવ્યૂ પડતો મૂકીને જતા રહ્યા હતા. શું આવા ઘમંડી વ્યક્તિને તમારી પાર્ટી પીએમ પદ માટે ઉમેદવાર બનાવશે?'

ત્યારે રાજનાથ સિંહે જવાબ આપ્યો કે, રાજીવ ગાંધીએ ભૂતકાળમાં કરેલી કમેન્ટને લીધે સોનિયાએ માફી માગવી પડી હતી. તમામ રમખાણો કમનસીબ ઘટનાઓ જ હોય છે, પણ મોદી ગુજરાતના રમખાણો માટે માફી માગે એવું કોઈ કારણ જ નથી.

English summary
Modi not seeks apology for 2002 riots : Rajnath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X