મંગળની કક્ષામાં મંગળયાનના 'મંગળપ્રવેશ'ના સાક્ષી બનશે મોદી
ઇસરોના વૈજ્ઞાનિક સચિવ કોટેશ્વર રાવે જણાવ્યું 'હા, વડાપ્રદાન બુધવારે કેન્દ્રમાં હાજર રહેશે. અમારી પાસે આ જ જાણકારી છે.' વડાપ્રધાન મોદી દ્વારા લેવાયેલો આ નિર્ણય વિજ્ઞાન પ્રત્યે તેમની જવાબદારી અને જિજ્ઞાશાને દર્શાવે છે.
માર્સ આર્બિટર મિશનના અવકાશયાનનું સંચાલન 24 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સવારે સાત વાગ્યે 17 મિનિટે 32 સેકંડ પર લિક્વિડ એપોજી મોટરને ચાલુ કરવામાં આવશે. તેની સાથે જ આઠ નાના લિક્વિડ એન્જિન કામ કરશે.
માર્સ આર્બિટર મિશનની સફળતા હોવા પર ભારત દુનિયાનું એ પહેલો દેશ બની જશે જેણે પ્રથમ પ્રયાસમાં જ મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો હોય. તે મંગળની કક્ષામાં પહોંચનાર એશિયાનો પણ પહેલો દેશ બની જશે તથા મિશનના સફળ થવા પર ઇસરો લાલ ગ્રહની કક્ષામાં ઉપગ્રહ મોકલવાની દુનિયાની ચોથી અવકાશ એજન્સી બની જશે.
આ પહેલા યૂરોપીય, અમેરિકન અને રશિયન એજન્સી મંગળની કક્ષા અથવા ગ્રહ પર ઉતરવામાં સફળ રહ્યા છે પરંતુ તેમના ઘણા પ્રયાસો અસફળ પણ રહ્યા છે. જોકે ભારતના આ પ્રયત્નને કેટલી સફળતા મળે છે તેતો સમય જ જણાવશે.