Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કરોડપતિઓ ભારતમાં રહેવા તૈયાર નથી? એક વર્ષમાં 5000 અમીરોએ છોડ્યો દેશ

કરોડપતિઓ ભારતમાં રહેવા તૈયાર નથી? એક વર્ષમાં 5000 અમીરોએ છોડ્યો દેશ

નવી દિલ્હીઃ ભારતના ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ રેંકિંગમાં મોટી છલાંગ લગાવવા અને વિશ્વના સૌથી તેજીથી આગળ વધી રહેલ અર્થવ્યવસ્થાના દાવાની વચ્ચે એક સચ્ચાઈ સામે આવી છે. હાલમાં જ સામેલ આવેલ એક રિપોર્ટ મુજબ મોટી સંખ્યામાં ભારતના અમીર લોકો દેશ છોડી વિદેશ ભાગી રહ્યા છે. વર્ષ 2018માં ભારતના 5000 કરોડપતિઓએ દેશ છોડી દીધો છે. આ મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. જો કે આ, ભારતના કરોડપતિઓની સંખ્યાના માત્ર 2 ટકા જ છે. એક જ વર્ષમાં સૌથી વધુ કરોડપતિએ દેશ છોડ્યો હોવાના મામલામાં ચીન ટૉપ પર છે. ચીનમાં એક વર્ષમાં 15000 કરોડ લોકોએ દેશ છોડ્યો.

એક વર્ષમાં 5000 કરોડપતિઓનું પલાયન

એક વર્ષમાં 5000 કરોડપતિઓનું પલાયન

અફ્રેશિયા બેંક એન્ડ રિસર્ચ ફર્મ ન્યૂ વર્લ્ડ હેલ્થ તરફથી ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂ, 2019ના નામે જાહેર કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018માં ભારતમાં દેશ છોડનાર વ્યક્તિઓની સંખ્યામાં બ્રિટેનથી પણ વધુ રહી જ્યારે બ્રિટેનમાં બ્રેક્ઝિટને કારણે રાજનૈતિક ઉઠકપટકના હાલાત બન્યા છે. પાછલા ત્રણ દશકાથી બ્રિટેન મોટી સંખ્યામાં અમીરોને આકર્ષિત કરવાના મામલામાં ટૉપ દેશોમાં રહેતું હતું પરંતુ બ્રેક્ઝિટને કારણે પાછલા બે વર્ષમાં હાલાત બદલી ગયા છે.

દેશમાં રહેવું પસંદ નથી?

દેશમાં રહેવું પસંદ નથી?

રિપોર્ટ મુજબ 2017માં 7000 ભારતીય કરોડપતિઓએ પોતાનું સ્થાનિક નિવાસ કોઈ અન્ય દેશને બનાવી લીધું. વર્ષ 2016માં આ સંખ્યા 6000 અને 2015માં 4000 હતી. ભારત છોડી અન્ય દેશોમાં જઈ રહેલ મોટા ભાગના લોકો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વસવા માંગે છે. ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂ 2019 મુજબ અમીરોના પલાયનના મામલામાં ચીન પહેલા નંબર પર છે જેનું કારણ અમેરિકા સાથે તેની વ્યાપારિક લડાઈ છે. જ્યારે પાછલા અઠવાડિયે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ નવા શુલ્કના કારણે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન માટે હાલાત વધુ ખરાબ થઈ શકે છે.

આ મામલે ભારત બીજા નંબર પર

આ મામલે ભારત બીજા નંબર પર

જ્યારે ગ્લોબલ ઈકોનોમીમાં ચાલુ ઉતાર-ચઢાવની વચ્ચે રશિયન અર્થવ્યવસ્થા ફસાઈ હોવાના કારણે રશિયા અમીરોના પલાયનના મામલે બીજા નંબર પર છે. રિપોર્ટમાં તેજીથી વધી રહેલ અસમાનતાની ખાડીનો ઉલ્લેખ કરતા ભારતીય અર્થવ્યવસ્થાની સૌથી ગંભીર સમસ્યા જણાવવામાં આવી છે. વધુ સંપત્તિ વાળા વ્યક્તિઓ પાસે દેશની લગભગ અડધી સંપત્તિ છે. વૈશ્વિક સ્તર પર આ આંકડો જ્યારે સરેરાશ 36 ટકા છે ત્યારે ભારતમાં 48 ટકા છે.

10 વર્ષમાં ભારતની સંપત્તિ વધશે

10 વર્ષમાં ભારતની સંપત્તિ વધશે

આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભલે અમીર લોકો ભારત છોડીને જઈ રહ્યા હોય પરંતુ આગલા 10 વર્ષમાં ભારતની કુલ સંપત્તિમાં ભારે વધારો જોવા મળશે. સંપત્તિ પેદા કરવાના મામલામાં વર્ષ 2028 સુધી ભારત બ્રિટન અને જર્મનીને પાછળ છોડી દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રિપોર્ટ મુજબ ભારતમાં 3,27,100 લોકો કરોડપતિઓના વર્ગમાં આવે છે. આ મામલામાં ભારતનું વિશ્વમાં 9મું સ્થાન છે. જો અબજોપતિઓની વાત કરવામાં આવે તો ભારત આ મામલામાં વિશ્વમાં ત્રીજા સ્થાન પર આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X