For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશમાં સ્કૂલના બાળકો ભણશે 'ભગવત ગીતા'ના પાઠ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bhagavad-gita
ઇન્દોર, 16 જુન: મધ્યપ્રદેશમાં શિક્ષણનું ભગવાકરણને લઇને થનાર વિરોધના હલ્લાબોલના વિરોધની ચિંતા કર્યા વિના મધ્યપ્રદેશની ભાજપ સરકારે હિન્દુઓના પવિત્ર ગ્રંથ 'ભગવત ગીતા'ના નૈતિક જ્ઞાનને સ્કૂલના પાઠ્યક્રમમાં સામેલ કરવાની જૂની યોજનાને અંતે અમલી કરી દિધી છે.

જિલ્લાના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12 સુધી પાઠ્યક્રમમાં આ શિક્ષણ સત્રથી 'ભગવત ગીતા'ના પ્રસંગોને જોડવા માટે પદ્ધતિસર ગેઝેટનું જાહેરનામું જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશ રાજપત્રમાં ચાર જુલાઇના રોજ જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ પ્રદેશ સરકારે રાજ્ય માધ્યમિક શિક્ષણ મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ 'ભગવત ગીતા'ના પ્રસંગો આધારિત એક-એક અધ્યાયને નવ થી 12ની વિશિષ્ટ હિન્દીના પાઠ્ય પુસ્તકોમાં શિક્ષણ સત્ર 2013-14 સાથે જોડવાને લીલીઝંડી આપી દેવામાં આવી છે.

ગેઝેટની અધિસૂચના કહે છે કે 'ભગવત ગીતા'ના પ્રસંગો પર આધારિત એક એક અધ્યાયને ધોરણ 11 અને 12ની વિશિષ્ટ અંગ્રેજીના પાઠ્ય પુસ્તકોમાં હાલના સત્રમાં પણ સા,એલ કરવાની રાજ્ય સરકારને મંજૂરી આપવામાં આવી છે.

English summary
MP's Student's will learn the context of the Bhagavad Gita.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X