મુલાયમ સિંહ હોઇ શકે છે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર: કરાત
એક ટીવી ચેનલ દ્વારા મોકલવામાં આવેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે આવનાર ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી મહત્વની ભૂમિકા નિભાવશે. મુલાયમ સિંહે પહેલા પણ અમારી સાથે કામ કર્યું છે અને જો તેમની પાર્ટીની સ્થિતિ ચૂંટણીમાં મજબૂત રહશે તો તેઓ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બની શકે છે.
કરાતે દાવો કર્યો છે કે ચૂંટણીમાં વામદળની બેઠકોની સંખ્યા વધશે. તેમણે જણાવ્યું કે અમે ચૂંટણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશ કરીશું. રાજદ અને સંપ્રગ બંનેની સ્થિતિ નબળી છે. કેન્દ્રમાં બિનકોંગ્રેસી અને બિનબાજપી સરકારના ગઠનની મજબૂત સંભાવના છે. કરાતે જણાવ્યું કે ચૂંટણી પહેલા ક્ષેત્રીય સ્તર પર નવા ગઠબંધન હોઇ શકે છે પરંતુ ચૂંટણી બાદ નવા મોર્ચાનું ગઠન થઇ શકે છે તથા નીતિશ કુમાર અને નવીન પટનાયક આનો ભાગ હોઇ શકે છે.
તેમણે એ સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધીની હાજરી ઉપરાંત વામ ફ્રંટ કોંગ્રેસને ફરીથી સમર્થન નહીં આપે તથા તે કોંગ્રેસ અને ભાજપા બંનેની સામે લડશે. કરાતે જણાવ્યું કે જો ભાજપા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે રજૂ કરશે તો એ તેનો સાંપ્રદાયિક ચહેરો ગણાવશે.