ચાઇના, પાક. બાદ હવે મ્યાનમારે કરી ભારતમાં ઘુસણખોરી!
આ મામલાની જાણ થતા જ મણિપુરના મુખ્યમંત્રી ઓ ઇબોબી સિંહે કેન્દ્ર સરકારને આ અંગેની માહિતી આપી, ત્યારબાદ મ્યાનમાર સેનાની ગતિવિધિયો રોકી દેવામાં આવી. જોકે હોલેફઇ ગામના લોકોએ મ્યાનમારની આ હરકતનો વિરોધ કર્યો, તેમને એ વાતનો અંદેશો હતો કે જો સેનાએ અત્રે વાડ બનાવી દીધી તો ભારતીય સીમાનું અધિપતન થઇ શકે છે.
કેન્દ્ર સરકારે ઘુસણખોરી માનવાનો ઇનકાર કરી દીધો અને જણાવ્યું કે આ પ્રકારની પ્રક્રિયા મ્યાનમાર સીમાની અંદર જ થઇ હતી. જે અંગે અમે મ્યાનમાર સરકાર સાથે વાત ચીત કરી છે. સ્થાનીય લોકો અનુસાર મ્યાનમારની સેનાએ વાડ લગાવ્યા બાદ ટેંટ લગાવવાની તૈયારી કરી દીધી હતી.
મામલામાં અસમ રાઇફલ્સે કેન્દ્ર સરકારને મોકલેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ ઘુસણખોરી નથી. જોકે અમે તેમને પ્લાટૂન બનાવવા માટે પિલર સંખ્યા 76ની પાસે લાગેલા વૃક્ષો કાપવાથી અટકાવ્યા હતા, કારણ કે તેનું હજી સીમાંકન કરવામાં આવ્યું નથી.
આ મામલામાં સોમવારે રાજ્યના એક ઉચ્ચ અધિકાર પ્રાપ્ત સમુહે વિસ્તારનું નિરિક્ષણ કર્યું હતું. જ્યારે મણિપુરના રાજ્યપાલ અશ્વિની કુમારે પણ વિસ્તારનું નિરિક્ષણ કરી સ્થાનીય લોકો અને ગ્રામ પ્રધાનોને મળીને સ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી.
આ પહેલા ચીને ઘણીવાર ભારતના લદ્દાખ વિસ્તાર અને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી, બાદમાં ભારત સરકારની નબળાઇની આખા દેશમાં નિંદા કરવામાં આવી.