ઇશરત જહાંની હત્યા માટે મોદી જવાબદાર : જેડીયૂ

સાબિર અલી અનુસાર ઇશરતની હત્યા માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓ જ દોષી છે. જ્યારે બીજેપીનું કહેવું છે કે મોદીને ફસાવવાનું કાવતરું ગઢવામાં આવી રહ્યું છે પરંતુ મોદી આ કાવતરામાં ફસાવાના નથી. જ્યારે કોંગ્રેસ પણ ઇશરત જહાં એન્કાઉન્ટરને લઇને બીજેપી પર સતત હુમલો કરી રહી છે.
કોંગ્રેસી નેતા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું કે એ ખરેખર ખોટું છે કે હેડલીએ ઇશરતનું નામ લીધું હતું. એ ભાજપાની ચાલ છે. અમે ભારત સરકારને પૂછ્યું છે કે ઇશરત જહાં અંગે હેડલીએ શું કહ્યું છે તે સ્પષ્ટ કરવામાં આવે.
જ્યારે બીજેપી નેતા મુક્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આખા દેશને લાગે છે કે કેટલાંક કોંગ્રેસી સાથીઓના શરીરમાં આતંકવાદીઓની આત્મા આવી ગઇ છે. જ્યારે પણ કોઇ આતંકી મરશે ત્યારે તેમના શરીમાં આત્મા ઘુસી જશે અને તેમને હેરાન પરેશાન કરશે. જે લોકો પણ ધર્મની સાથે આતંકવાદને જોડી રહ્યા છે તે લોકો આની વિરુદ્ધની લડાઇને કમજોર કરી રહ્યા છે. ઓસામા મરશે તો કહેશે કે ખોટો માર્યો. તેની મૂર્તિ કોંગ્રેસ કાર્યાલયની બહાર લગાવવી જોઇતી હતી.












Click it and Unblock the Notifications
