રામદેવને મળશે આજે મોદી, શરતો સાથે સમર્થન પર આપશે જવાબ
નવી દિલ્હી, 5 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરી હતી. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા હુમલો કરાયા બાદ મોદીની આ પ્રથમ રેલી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી બાબા રામદેવ દ્વારા આયોજીત ભારત સ્વાભિમાન સ્થાપના દિવસના અવસરે મળશે અને ચર્ચા કરશે.
વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું જણાવ્યું હતું કે ' જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તો દેશ આફત આવી પડશે.' વડાપ્રધાનના આ નિવેદન બાદ નરેન્દ્ર મોદી આજે રેલીને સંબોધીત કરવા જઇ રહ્યા છે.

રામદેવે મોદીને પોતાનું સમર્થન આપવાનું ગાણું ગાયું છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન ઉમેદવાર પાસે જાણવા માગે છે કે 2014ના સામાન્ય ચૂંટણીઓમાં નીતિ શું રહેશે. બાબા રામદેવે શનિવારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને અમે મુદ્દાઓના આધર પર સમર્થન આપીશું.












Click it and Unblock the Notifications
