For Quick Alerts
For Daily Alerts
કાશ્મીરની બરબાદી માટે નેહરૂ જવાબદાર: ગડકરી
ભાજપના પૂર્વ અધ્યક્ષ ગડકરીએ જણાવ્યું કે કશ્મીરની બર્બાદી માટે નેહરૂ જવાબદાર છે. નિતિન ગડકરીએ આ દોડ દ્વારા નેહરૂ અને પટેલની તુલના કરી અને તેને કશ્મીર મામલા સાથે જોડીને આખા મામલાને રાજકીય રંગ આપવાની કોશીશ કરી હતી.
ભાજપના ઘણા નેતાઓએ આ મુદ્દે રાજનીતિ શરૂ કરી દીધી હતી. નીતિન ગડકરીએ એકતા દોડને લઇને જે કઇ પણ કહ્યું ભાજપના અન્ય નેતાઓ સિદ્ધાર્થ નાથ સિંહે પણ પટેલ અને નેહરૂની તુલના કરી અને પટેલને નેહરૂ કરતા ઊંચા બતાવવામાં કોઇ કસર બાકી ન્હોતી રાખી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પુણ્યતિથિના અવસરે દેશભરમાં રન ફોર યૂનિટી નામે મેરેથોન દોડનું આયોજન કર્યું હતું અને તેમાં દેશના 1100 જેટા સ્થળોએ લગભગ 40 લાખથી વધું લોકોએ આ દોડમાં ભાગ લીધો હતો.
Comments
jawaharlal nehru kashmir nitin gadkari bjp congress જવાહરલાલ નેહરુ કાશ્મીર નીતિન ગડકરી ભાજપ કોંગ્રેસ
English summary
Jawaharlal Nehru is responsible for Kashmir's Plight said Nitin Gadkari.
Story first published: Sunday, December 15, 2013, 18:07 [IST]