IBC 2018: નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું- હું લાજવાબ છું
'ઈન્ડિયા વિઝન 2030 એન્ડ બેંક્સ' વિષય પર બોલતા નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે, લઘુ અને મધ્યમ ઈન્ડસ્ટ્રીના લોકો જ્યારે લોન લેવા આવે છે ત્યારે એમની સાથે બધા પ્રકારની સમસ્યાઓ હોય.
નવી દિલ્હીઃ 'ઈન્ડિયા વિઝન 2030 એન્ડ બેંક્સ' વિષય પર બોલતા નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે, લઘુ અને મધ્યમ ઈન્ડસ્ટ્રીના લોકો જ્યારે લોન લેવા આવે છે ત્યારે એમની સાથે બધા પ્રકારની સમસ્યાઓ હોય. એમણે વ્યાજ પણ વધુ આપવું પડે છે, જ્યારે મોટી કંપનીઓના ઘરે જઈને સહી કરાવવામાં આવે છે. આ સમસ્યા વિશે સવાલ પૂછવામાં આવતાં નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે બેંકોના મેનેજમેન્ટની રીત પર કામ કરવા પર વિચાર કરવો પડશે. આ વાત બહુ કામની છે. આ પણ વાંચો- ત્રણ 'સી' સીબીઆઈ, સીવીસી અને સીએજીથી ડરે છે ભારતીય બેંકોઃ રાજીવ કુમાર

રાજીવ કુમારે વધુમાં કહ્યું કે આમાં કોઈ બુલેટ પોઈન્ટ બનાવવા નથી માંગતો. પરંતુ એટલું જરૂર છે કે જો આપણે બેંક્સને કેટલાક સેક્ટર્સ સાથે જોડી દઈએ તો બેંકો પાસે બેડ એપલ્સની ઓળખાણ કરવાનો અવસર હશે. તેઓ એવા સેક્ટર્સ સાથે વધુ સારી રીતે ડીલ કરી શકશે. રાજીવ કુમારના જવાબ આપ્યા બાદ પણ સવાલ પૂછનાર શખ્સને સંતુષ્ટિ ન મળી. એમણે બીજી વાર પૂછ્યું કે સર કોઈ મેકેનિઝ્મ જણાવો. આના પર રાજીવ કુમારે કહ્યું- હું લાજવાબ છું. આ પણ વાંચો- IBC 2018: રાષ્ટ્રીય સુરક્ષાની જેમ નાણાકીય સુરક્ષા પણ મહત્વપૂર્ણ
રાજીવ કુમારના લાજવાબ હોવા બાદ ભૂપેન્દ્ર યાદવે જવાબ દેવાનો પ્રયાસ કર્યો. એમણે કહ્યું કે આ વ્યવહારિક સમસ્યા છે. બેંકો સાથે અમારી મલ્ટીટાસ્કિંગ મહત્વકાંક્ષા છે. આ પડકાર છે, આમાં તમે અને હું એક જ ગાડીમાં સવાર છીએ. આ પણ વાંચો- ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવઃ બેંકો માટે શું શ્રેષ્ઠ, ખાનગીકરણ કે વિલય?












Click it and Unblock the Notifications
